________________
ક્ષમા કરો. હે બાળક નિગોદના ભવમાં એક જ શરીરને આશ્રયીને અનંતા જીવો રહે છે. અડતાળીસ મિનિટની અંદર આશરે ૬૬૩૩૬ ભવ નિગોદનો જીવ કરે છે. જન્મ મરણની આવી કારમી વેદનામાંથી આપણા જીવને બહાર કાઢનારસિદ્ધ ભગવંતોને અનંતીવાર પ્રણામ હોજો. હે બાળક આ પહેલાનાં અનંતા ભવમાં જીવે રસલોલુપતામાં ખાધા જ કર્યું છે હવે આ ભવ સંજ્ઞા તોડવા માટે છે અનંતા ભવમાં મૈથુન સેવ્યા કર્યું છે. હવે આ ભવ મૈથુનસંજ્ઞા તોડવા માટે છે. જન્મ મરણના ફેરા કરી કરીને થાકેલા આ જીવને આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે છે. હે બાળક ફક્ત નિગોદમાંથી બહાર નીકળવાથી કામ નથી થતું, પરંતુ અનેક જન્મ દેવ નારકી અને તિર્યચના કર્યા પછી બહુ જ કાળ પછી માનવ જન્મ મળે છે માટે આ ભવમાં મોક્ષ મેળવવાનો પ્રયત્ન કર. જીવ બે હજાર વર્ષ સાગરોપમ માટે નિગોદમાંથી નીકળે છે એમાં જો જીવને મોક્ષ ન થાય તો જીવ પાછો એકેંદ્રિય નિગોદમાં જતો રહે છે માટે મોક્ષ મેળવવા માટે પુરુષાર્થ કરી માનવ જન્મ સાર્થક કર. હે બાળક આ શરીર તો ધર્મ આરાધના કરવા માટેનું સાધન છે તેનાથી કર્મોના ઢગલા ન ખડકાઈ જાય તેનું ધ્યાન રાખજે. આ શરીર એ તું નથી તું તો જન્મમૃત્યુથી રહિત શુદ્ધ આત્મા છે. તું કર્તા, ભોક્તા નથી, પણ જ્ઞાતા દ્રષ્ટા છે. આ દેહ તો આત્માની પ્રથમ પાડોશી છે.
હે બાળક જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ એ ભાવના દરરોજ ભાવજે ને અંતે આપણા આત્માનું પણ કલ્યાણ થાય તેવું અરિહંત પરમાત્માને પ્રાર્થજે.
- સુબોધીની મસાલીયા
(રાધનપુરનિવાસી)
સંમાર શક્તિ
dekation International
For Personal & Private Use Only
www.ja
૭૨