________________
ગર્ભિણી વિચાશ
ગર્ભિણી ચિંતન / હે બાળક દેવ દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. તું ફક્ત કુળથી નહિ કર્મથી જૈન બનજે. સેવા ધર્મ અપનાવી સાચા અર્થમાં માનવ બનજે. મળેલો અમૂલ્ય માનવજન્મ સાર્થક કરજે. હે બાળક જગતમાં પ્રાણી માત્ર સુખને ઇચ્છે છે. માટે કોઈના સુખનો ઘાત કરતો નહીં. બધાના સુખમાં રાજી
રહેજે.
હે બાળક કોઈના પ્રત્યે ઇર્ષ્યા કે દ્વેષ ભાવ રાખવી તે દુર્ગતિનું કારણ છે માટે તેનો ત્યાગ કરજે. મનને હંમેશાં સવિચારો રૂપી જ ખોરાક આપજે. માણસ જેવું વિચારે તેવું જ થાય માટે કદાપિ દુષ્ટ વિચાર કરીશ નહીં. હે બાળક બીજાના દોષ જોવાનું મન થાય ત્યારે પોતાના જ દોષ જોજે અને જ્યારે પોતાના જાતની પ્રશંસા કરવાનું મન થાય ત્યારે મહાપુરુષોના ગુણોનો વિચાર કરજે. હે બાળક સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલજે. સમતામાં સ્થિર રહેવું યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ઇન્દ્રિયોને કાબુમાં રાખવી એ જ જૈનનું લક્ષણ છે. આનાથી વિપરીત આચરણ કરવું ને પોતાને જૈન કહેવું તે વિરોધાભાસ છે. હે બાળક એક ક્ષણમાત્રના ક્રોધથી ક્રોડ પૂર્વ વર્ષ સુધીનું સંયમ ફળ જતું રહે છે માટે તું ક્રોધને સર્વથા ત્યાગ કરજે છતાં ક્રોધ આવી જાય તો તરત હૃદયમાં પશ્ચાતાપ કરી પાછો હઠજે. હે બાળક સતત એ ભાવના ભાવજે કે ચૌદ રાજલોકમાં રહેલાં અનંત જીવો, સૂક્ષ્મ હોય કે બાદર દરેક સાથે મારે મૈત્રી છે. અનંતા જન્મોથી મારા જીવે જે જે જીવરાશીને દુઃખ પહોંચાડ્યું હોય તે દરેકના શુદ્ધ આત્માની હું મારા શુદ્ધ આત્માની સાક્ષીએ ક્ષમા પ્રાર્થ છું. સર્વ જીવો મને
22se ausrt
ernational
For Personal & Private Use Only
www.jainelitan
૭૧