________________
પૂર્ણ કરી આપું. મુખીએ વચન આપ્યું. ત્યારપછી ચાણક્યે છિદ્રસહિત તૃણનો મંડપ કરાવ્યો અને કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ જ્યારે ચંદ્ર ચોળે કલાએ ખીલેલો હતો, ત્યારે મંડપ નીચે દૂધથી ભરેલો થાળ રખાવ્યો. મંડપ ઉપર ધીરે ધીરે છિદ્ર પુ૨વા માણસને રખાવ્યો. થાળમાં આખો ચંદ્ર પ્રતિબિંબિત થયો ત્યારે ચાણક્યે થાળમાં પ્રતિબિંબિત થયેલા પૂર્ણ ચંદ્ર તરફ આંગળી ચીધીને સગર્ભા બહેનને કહ્યું બહેન આ ચંદ્રમાનું સેવન કરો. સગર્ભા બહેને જેમ જેમ પાન કરતી ગઈ તેમ તેમ સુચન મુજબ મંડપ ૫૨ રહેલો માણસ છિદ્ર પુરતો ગયો આ રીતે બહેનની દોહદ પૂર્ણ થયો. સમય જતાં તે મુખીની પુત્રીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો તેણીને ચંદ્ર પીવાનો દોહદ થયો હતો માટે તેનું નામ રાખ્યું ચંદ્રગુપ્ત.
અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી –
ભગવાન મહાવીરના સમયમાં ઋષભદત્ત નામના શ્રેષ્ઠી અને ધારીણી નામની તેમની ધર્મપત્ની રહેતા હતા. તેમને એકવાર યશોમિત નામના જ્યોતિશાસ્ત્રના જાણકાર શ્રાવકે કહ્યું કે તેમને એક જંબુવૃક્ષ જેવો ગુણરૂપી રત્નમય જંબુ નામનો પુત્ર થશે. આ સાંભળી શ્રાવિકાએ જંબુવૃક્ષના અધિષ્ઠાયક દેવ જંબુદેવને ઉદ્દેશીને એકસો આઠ આયંબીલ કર્યા. એક દિવસ તેણી ખોળામાં બેઠેલો સિંહ જોયો તેજ વખતે પાંચમા બ્રહ્મદેવલોકનો સામાનિક વિદ્યુન્માલી દેવ અવીને ધારિણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો અને તેનું નામ રાખ્યું જંબુકુમાર જે આ અવસર્પિણી કાળના છેલ્લા કેવલી જંબુસ્વામી
થયા.
આમ આવનાર બાળક કેવા ગુણો લઈને આવશે તે ગર્ભાવસ્થામાં પણ જાણી શકાય છે. માટે માતાએ હંમેશાં ધર્મ ધ્યાનમાં લીન રહેવું તથા ગર્ભ પ્રત્યે સજાગ રહેવું.
acation International
For Personal & Private Use Only
www.janelibrary
૭૦
쌀 리노라