________________
બેસી પુરૂષવેશ ધારણ કરી પોતાના અંતરમાં ખૂબ જ હર્ષિત બની દોહૃદ પૂર્ણ કર્યો. ઉદરમાં ગર્ભની વૃદ્ધિ સાથે જ તેનામાં કુરતા વધવા લાગી તે અભિમાની, અવિવેકી અને અવિનયી બની ગઈ અને તેને જે પુત્ર થયો તેનું નામ દુર્યોધન હતું.
ગર્ભમાં ભીમનો જીવ આવવાથી ઉત્પન્ન થયેલા દોહદ અને સ્વપ્ન
કુંતી નાશિક નામના નગરમાં ચંદ્રપ્રભુ સ્વામીનું જીનાલય બંધાવ્યું વારંવાર જીનાલયમાં જઈને ધર્મ પ્રભાવના કરતી. આમ ધર્મના પ્રભાવથી કુંતી ગર્ભવતી થઈ.
સ્વપ્ન – એક રાતે તેમને સ્વપ્ન આવ્યું કે વાયુદેવે કલ્પવૃક્ષને લાવીને પોતાના ખોળામાં મૂકી દીધું છે. તેનો ફળાદેશ એવો હતો કે તેને પ્રચંડ બળવાન પુત્ર થશે. આ પછી તેમને દોહૃદ ઉત્પન્ન થયું. દોહઠ – ગર્ભના પ્રભાવથી તેને પથ્થરના ચૂરે ચૂરા કરવાની ઇચ્છા થઈ ત્યારે તેણીએ પોતાની ભાવના પૂર્ણ કરવા જીનાલયમાંના કપૂરના ચૂરે શૂરા કરી નાખ્યા. સ્વપ્નનાનુસાર તેનું નામ પવન પુત્ર રાખવામાં આવ્યું અને બીજું નામ ભીમ રાખવામાં આવ્યું. ગર્ભમાં અર્જુનનો જીવ આવવાથી ઉત્પન્ન થયેલા દોહૃદ અને સ્વપ્ન
સ્વપ્ન- રાત્રિના છેલ્લા પ્રહરમાં કુંતીએ સ્વપ્નમાં ઐરાવત હાથી પર બેઠેલા ઇન્દ્રને જોયો. તેનું ફળ એ હતું કે તે ઇન્દ્રની સમાન કાંતીવાળો પુત્ર થશે.
દોહઠ – કુંતીને એવું દોહ્રદ આવ્યું કે તેણે સમસ્ત પૃથ્વીને વશ કરવાનું, યમરાજનેડ આપવાનું તથા સૂર્ય અને ચંદ્રને પીડા આપનાર રાહુ પર આક્રમણ કરવાનું મન થયું. શુભ સમયે તે બાળકનો જન્મ થયો તેનું નામ પાડયું અર્જુન.
આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તએકદા આચાર્ય ચાણક્ય ફરતા ફરતા નંદરાજાના મયુર રક્ષકોના ગામમાં આવી પડ્યા તે વખતે તે ગામના મુખીની સગર્ભા પુત્રીને ચંદ્રનું પાન કરવાનો દોહૃદ ઉત્પન્ન થયો હતો અને દોહૃદ પૂર્ણ ન થવાને કારણે શરીરથી ક્ષીણ થતી જતી હતી. ચાણક્યને આ વાતની ખબર પડી મુખીના ઘરે જઈને ચાણક્ય કહ્યું કે ગર્ભમાં રહેલા બાળકને જન્મતાં જ મને સોંપી દેવાનું વચન આપો તો દોહૃદ
He શ્રોતા
International
For Personal & Private Use Only
www.jaine
51
૬૯