________________
રાજા ભીષ્મ તેના પિતાનું નામ શાંતનું અને માતાનું નામ ગંગા. જ્યારે ગંગાએ ગર્ભધારણ કર્યો ત્યારે ગંગાનું શરીર ભાગીરથી નદીની જેમ તેજસ્વી દેખાવા લાગ્યું. તેજસ્વી ગર્ભના પ્રભાવથી તે મેરૂ પર્વતને દડાની જેમ માનવા લાગી તેવું સ્વપ્ન જોયું. ગર્ભમાં કર્ણનો જીવ આવવાથી ઉત્પન્ન થયેલા દોહદ અને સ્વપ્ન
પાંડુ રાજાએ અને કુંતીએ લગ્ન કર્યા પહેલા સંબંધ બાંધવાથી ગર્ભધારણ થયો હતો તેમાં કુંતીને ગર્ભના પ્રભાવથી તેણીને ઇન્દ્રનું સામ્રાજ્ય પણ તુચ્છ લાગતું હતું અને તે પુત્રનું નામ હતું કર્ણ. ગર્ભમાં યુધિષ્ઠીરનો જીવ આવવાથી ઉત્પન્ન થયેલા દોહદ અને સ્વપ્ન
સ્વપ્ન – લગ્ન પછી વિતરાગની આરાધના કરી દાનાદિ સદ્કાર્યો કર્યા પછી ગર્ભધારણ કર્યું. ત્યારે એક મધ્ય રાત્રિએ સ્વપ્નમાં સમુદ્ર, મેરૂ, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મીના દર્શન કર્યા. તે પછી તેમના ગાલો સફેદ થયા આંખોનું લાવણ્ય વધ્યું, આ પછી તેમને દોહૃદ ઉત્પન્ન થયું.
દોહઠ– કુંતીને એવું દોહૃદ આવ્યું કે ગરીબો પ્રત્યે કારૂણ્ય ભાવ વધવા લાગ્યો, જૈન ધર્મમાં આસક્તિ વધતી ગઈ, હિંસાઓ બંધ કરાવી, કેદીઓને બંધન મુક્ત કરાવ્યા, કુંતીમાં ગર્ભધારણા પછી સત્ય, વીરતા, સ્થીરતા, ગંભીરતા આદિ ગુણો વિશેષ રૂપથી વધવા લાગ્યા તથા ધર્મમાં વિશેષરૂપથી રૂચી વધવા લાગી તેથી જ જન્મ પછી તેનું નામ ધર્મરાજ યુધિષ્ઠર રાખવામાં આવ્યું. કુંતીને તપ અને ધર્મમાં રૂચી હોવાને કારણે બીજું નામ ધર્મસુનૂ અને તપસુનૂ રાખવામાં આવ્યું.
ગર્ભમાં દુર્યોધનનો જીવ આવવાથી ઉત્પન્ન થયેલા દોહદ અને સ્વપ્ન
ગાંધારીએ જ્યારે ગર્ભધારણ કર્યો તો તેના મનમાં અંતરમાં અભિમાન થવા લાગ્યું, સ્તનોમાં સ્થૂલતા વધવા લાગી શરીર કૃશ થવા લાગ્યું, મનમાં ઉત્સાહ ખૂબ જ આવ્યો, મુખ આનંદથી સુંદર દેખાવા લાગ્યું. આ પછી તેમને દાહૃદ ઉત્પન્ન થયું.
દોહદ – ગાંધારીને લોકોના ઝઘડામાં ખૂબ મજા આવતી, લોકોને દુ:ખી જોઈને આનંદ આવતો, જેલમાં રહેલા કેદીઓની બેડીઓના અવાજથી હર્ષ થતો, વિના કારણે ગુરૂજનોનો હિસ્કાર કરવા લાગી, મદોન્મત હાથી પર
EB ERE
on International
For Personal & Private Use Only
www.jainelibrary.org