SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી ઇન્દ્રજીતિ ગૌતમ ભગવાળા મહાવી આ પ્રશ્ન પૂછે છે કે આ ૦ હે ભગવંત ! શું મળમાંથી જીવ દેવલોક જઈ શકે? ભગવાન મહાવીર તેમને ઉત્તર આપતા કહે છે કે હે ગૌતમ કોઈ ગર્ભમાં સ્થિત સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિવાળો જીવ વૈક્રિય વીર્ય અને અવધિજ્ઞાન લબ્ધિ દ્વારા તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળીને ધારણ કરી શીધ્રપણે સંવેગથી ઉત્પન્ન તીવ્ર ધર્માનુરાગથી અનુરક્ત થાય. તે ધર્મ - પુણ્ય - સ્વર્ગ - મોક્ષનો કામી, ધર્માદિની આકાંક્ષાવાળો પીપાસાવાળો, તેમાં જ ચિત્ત મન વેશ્યા અને અધ્યવસાયવાળો ધર્માદિને વિશે જ પ્રયત્નશીલ, તેમાં જ તત્પર, તેના પ્રતિ સમર્પિત થઈ ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત થઈ,તે જ સમયમાં મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી કોઈ જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તો કોઈ નથી થતો. ગર્ભસ્થ જીવ ઉલટો સુવે છે યાવતુમાતાના દુઃખે દુઃખી થાય છે. સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે છે, સમ્યકરૂપે પરિપાલન કરે છે, વહન કરે છે, માતા સુવે ત્યારે સુવે, જાગે ત્યારે જાગે, સુખી હોય ત્યારે સુખી અને દુ:ખી હોય ત્યારે દુઃખી થાય છે. આહાર પરિણમન અને શ્વાસોચ્છવાસ બધું શરીર પ્રદેશોથી થાય છે. તે મુખેથી આહાર કરતો નથી. Hણ શા International For Personal & Private Use Only www.jain ૬૫
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy