________________
સંમાર શનિ
નવમા, દશમા, અગિયારમા કે બારમાં મહિનામાંથી કોઈ પણ એક મહિનામાં જે ગર્ભ જન્મે છે તેને પ્રસૂતિકાલ કહેવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રપ્રમાણે નવ મહિના પહેલા અને બાર મહિના પછીનો કાલ વૈકારિક ગર્ભ કહેવામાં આવે છે.
ગર્ભના અંગ પ્રત્યંગ એક સાથે જ ઉત્પન્ન થાય છે, પરંતુ જેમ કેરીના બીજમાં કેરીનું ફળ અવ્યક્ત સ્વરૂપમાં હોય છે તેમ ગર્ભના અંગ પ્રત્યંગ ઉપસ્થિત હોવા છતાં દેખાતા નથી. આમ ગર્ભશરીરમાં સર્વ અંગ પ્રત્યંગ એક સાથે ઉત્પન્ન હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાથી દેખાતા નથી. કાલ વ્યતીત થવા પર જ્યારે વ્યક્ત થાય છે ત્યારે દેખાય છે.
ગર્ભમાં રહેલો જીવ પોતે અંદર સુતારની પેઠે શરીરની બાર પાંસળીના કદંડક તથા છ પાંસળીઓ બનાવે છે. પીઠના અસ્થિના અઢાર સાંધાઓ તથા પાંચ વામ જેટલું લાંબુ આંતરડું પણ પોતે જ રચે છે. ગર્ભ આઠમે મહિને ઘણો ખરો પૂર્ણ થઈ જાય છે તે પહેલાં નવ્વાણું લાખ રોમકૂપ તથા દાઢીના, મૂછના અને માથાના સર્વ મળી સાડા ત્રણ કરોડ રોમ ઉત્પન્ન કરે છે. આઠમે મહિને તે ઓજ ગ્રહણ કરે છે. આ રીતે ગર્ભવાસમાં રહેલો જીવ ૨૭૭ ૧/૨ સાડી બસોસિત્યોતેર દિવસ વ્યતિત કરે છે. નિયમથી જીવ ૮૩૨૫ મુહૂર્ત સુધી ગર્ભમાં રહે, પણ તેમાં હાનિ વૃદ્ધિ પણ થાય છે. જીવને ગર્ભમાં ૩,૧૪,૧૦,૨૨૫ શ્વાસોચ્છવાસ હોય છે. તેમાં ઓછા અધિક પણ હોઈ શકે. ગર્ભ ઉત્પત્તિ યોગ્ય યોનિમાં ૧૨ મુહૂર્ત સુધી લાખ પૃથક્ક્ત્વથી અધિક જીવ રહે છે. ગર્ભસ્થ જીવ બધી તરફથી આહા૨ કરે છે. બધી તરફથી પરિણમિત કરે છે. બધી તરફથી શ્વાસ લે છે અને છોડે છે. નિરંતર આહાર કરે છે અને પરિણમાવે છે. જલદી શ્વાસ લે છે અને મૂકે છે. માતાના શરીરથી જોડાયેલ પુત્રના શરીરને સ્પર્શ કરનાર એક નાડી હોય છે જે માતાના રસની ગ્રાહક અને પુત્રના જીવન રસની સંગ્રાહક હોય છે. તેથી તે જેવો આહા૨ ક૨ે છે તેવો જ પરિણમાવે છે. ગર્ભસ્થ જીવ મુખેથી આહાર કરતો નથી. તેની માતા જે વિવિધ પ્રકારની રસ વિગઈ કડવું, તીખું, તુરુ, ખારૂં, મીઠું દ્રવ્ય ખાય તેના જ આંશિક રૂપ ઓજાહાર કરે છે.
Jain Education International
૬૩
For Personal & Private Use Only
WWW.