________________
નવમ માસ:
નવમા મહિનામાં જે બાળકનો જન્મ થાય છે તે યોગ્ય ગણાય છે. તે ગર્ભસ્થ બાળક નવમા વિ. મહિનામાં જન્મે છે અને જન્મ્યા પછીની આજીવિકા ધાવણ વિ. તે જ્યાં સુધી મેળવતો નથી ત્યાં સુધી પોતાના પૂર્વજન્મનાં કરેલાં કર્મોને તથા ગર્ભાવાસના સુખ દુઃખને પણ તે યાદ કરે છે. આચાર્ય ચરકાનુસાર નવ માસ થયા પછી, તેના પછીનો કોઈપણ દિવસ પ્રસવકાલ માનવામાં આવે છે. સામાન્ય રીતે નવ માસ અને ઉપર સાડા સાત દિવસને(૨૭૭ા સાડી બસ્સો સિત્યોતેર દિવસ) પ્રસવકાલ માનવામાં આવે છે આમાં વધ ઘટ સંભવ છે.
ભગવાન મહાવીરને ગર્ભમાં જ ત્રણ પ્રકારનું જ્ઞાન હતું.મતિ,શ્રુત અને અવધિ. તેઓ ગર્ભમાં વિચારે છે કે મારા હલન ચલનથી માતાને કષ્ટ પહોંચે છે માટે અંગોપાંગ એવી રીતે સંકોચી રાખ્યા કે જેથી માતા ને કષ્ટ ન પહોંચે. આમ આ પ્રસંગ આપણને સૂચવે છે કે ગર્ભમાં પણ બાળક વિચારી શકે છે. પ્રભુને ત્રણ જ્ઞાન હતાં, પરંતુ સામાન્ય શિશુને પણ જેવું જ્ઞાન કરાવવામાં આવે તેવું તે ગ્રહણ કરે છે. આમ પ્રથમથી જ્ઞાન ન હોવા છતાં પણ નવું જ્ઞાન કે સંસ્કાર આપી શકાય અને શિશુ તે અવશ્યથી ગ્રહણ કરે છે. માટે જ ગર્ભમાંથી જ બાળકને માતૃભક્તિ,પ્રભુભક્તિજેવા પાઠ આપવા.
ગર્ભમાં જ પ્રભુ મહાવીરે નિયમ લીધો કે જ્યાં સુધી મારા માતાપિતા જીવતા હોય ત્યાં સુધી દિક્ષા લેવી નહીં. આમ માતાપિતાને સંતોષ આપવા તેમ જ બીજાઓને પણ માતા તરફ બહુમાન રાખવા સૂચવવા અર્થે પ્રભુએ ઉક્ત અભિગ્રહ ધારણ કર્યો.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગર્ભસ્થશિશુ ગર્ભમાં બધું જ સાંભળે છે,અનુભવ કરે છે અને બધું જ સમજે છે, પણ જ્યારે તેનો જન્મ થાય છે ત્યારે પ્રસૂતિની જે વેદના હોય છે તેમ જ બહારના વાતાવરણનો સંપર્ક થાય છે તેના કારણે તેને ગર્ભાવસ્થા દરમિયાનનું સુખ દુઃખનું વિસ્મરણ થઈ જાય છે, પણ ગર્ભાવસ્થા દરમિયાન આપેલા સંસ્કારોનું બીજારોપણ થઈ જાય છે જે નિમિત્ત મળતા વિકસિત થાય છે.
AB Eાતી
Jain Educatioarhillernational
For Personal & Private Use Only
www