________________
ગર્ભ ધો છે કે કેમ તેની પરીક્ષા
જ્યારે સ્ત્રીને ગર્ભ રહે છે ત્યારે જો તે સ્ત્રી દક્ષ હોય તથા સમજુ હોય તો તે જ વખતે જાણી લે છે કે આજે મને ગર્ભ રહ્યો છે; પણ અણઘડ જેવી સ્ત્રીઓ, અગર તો તે તરફ પૂરતું ધ્યાન નહિ રાખનાર અજાણ રહે છે. માટે નીચેના લક્ષણો ખાતરી માટે પૂરતાં છે. ૧. ગર્ભ રહ્યા પછી અટકાવ (રજસ્વલાપણું) બંધ થાય છે (કોઈ કોઈ
સ્ત્રીઓને પૂર્ણ ગર્ભાવસ્થા દરમ્યાન રજસ્ત્રાવ નજરે પડે છે, તો પણ તેના રંગમાં લાલાશ ઓછી હોય છે.) સ્તનના કદમાં વધારો થાય છે. તેનો કાળો વ્યાસ મોટો થઈ તેના પર ઝીણા ઝીણા દાણા ઉપસી આવે છે. તેના સ્તન દાબતાં તેમાંથી દૂધ કે ચીકણું પાણી નીકળે છે. લોહીથી ભરેલી નસો દેખાવા લાગે છે. ડીંટડી ઉપસી આવે છે, તેમ જ ભીનાશવાળી રહે છે. સ્તનમાં દુખાવો અને તેમાં ગાંઠા ગાંઠા જણાય છે. તથા સ્તન કઠણ થાય છે અને ભારે લાગે
૩. સવારે ઉઠતાં જ મોઢામાં મોળ આવે અગર ઉલટી થાય છે. બેચેની
જણાય અને અરૂચિ જેવું થયા કરે છે. ૪. ગર્ભનું ચોથા માસ પછી ફરકવું જણાય છે એટલે કે સુમારે સોળ સપ્તાહ
વીત્યા બાદ ગર્ભ ફરકે છે.
EI
EI ના નામ
JalU RI International
For Personal & Private Use Only
www.jai
- પ૦
IST