________________
સીમંતો66ય. સંસ્કાર
સીમંત એટલે કેશશૃંગાર.વાળને ઓળીએ ત્યારે જે સેંથી પડે તે સીમંત. આમ વાળને ઊભા ઓળી તેમાં સેંથી પાડવાની વિધિ તે સીમંતોન્નયન સંસ્કાર. સીમંતોનયન સંસ્કાર છદ્દે કે આઠમે માસે થાય છે આ સમયે ગર્ભિણી ને દોહૃદિની, પણ કહેવામાં આવે છે.દોઢંદિની ઓટલે બે હૃદયવાળી આ સ્થિતિમાં નારીને પ્રસન્ન રાખી તેને ગમતા આહાર, વિહાર, વસ્ત્રાલંકાર બધાનો ખ્યાલ રાખવો જોઈએ. સીમંતોન્નયન સંસ્કારમાં આ બધી વાતોનો નિર્દેશ છે. આ બધી વિધિ ગર્ભિણીને પ્રસન્ન રાખવાના પ્રયત્નોનું પ્રતીક છે. ગર્ભસ્થ શિશુ પ્રસન્ન રહે અને દીર્ધાયુ થાય એ પહેલો હેતુ છે તથા બીજો હેતુ સ્ત્રી સફળ ગર્ભા અને બહુસંતતિવાળી થાય.
આમ માનસશાસ્ત્રનો વિચાર આ સંસ્કરણમાં થયેલો છે. આ સંસ્કાર વખતે વીણાવાદક કે ગાયકોને હાજર રાખવાના હોય છે. ગાન, નૃત્ય,આનંદ પ્રમોદ કરવાના હોય છે. બાળક સ્તનપાન છોડે ત્યાં સુધી સ્ત્રીને સ્વસ્થ શરીર, પ્રસન્ન મનવાળી રાખવાના પ્રયોગો ચાલુ રહે એ જરૂરી છે.સીમંત સંસ્કારને ઉત્સવભરી ઉજવણી સમજવાની છે.
જન્મ પહેલા થનારા સંસ્કારોમાં ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન સંસ્કાર આવે છે. કોઈના મત પ્રમાણે આ સંસ્કરણ બાળક પર થાય છે તો કોઈના મત મુજબ આ સંસ્કરણ સ્ત્રી પરથાય છે.
He શકિ.
જૈન શાસ્ત્ર પ્રમાણે પુંસવન સંસ્કાર એટલે જ સીમંતોન્નયન સંસ્કાર તેને આપણે ખોળો ભરવાની વિધિ તરીકે ઓળખીએ છીએ.પુંસવનનો પ્રયોગ ઇચ્છિત સંતાન માટે થાય છે. આ પ્રયોગ દ્વારા માતા પિતા જેવા ગુણો પોતાના બાળકમાં ઇચ્છતા હોય તેવા ગુણો પોતાના બાળકમાં લાવી શકે છે. આના માટે પ્રબળ પુરૂષાર્થ જરૂરી છે. કારણકે પુરૂષાર્થ આગળ કશું જ અશક્ય નથી.
પુંસવન સંસ્કારગર્ભિણીના આઠમે મહિને થાય છે.
lateerime
For persona
v eteroser only
www.auteng