SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યેય: પુંસવનનો અર્થ છે ઇચ્છિત સંતાનની પ્રાપ્તિ. તેમાં પણ બાળક ગર્ભમાંથી જ ગુણીયલ, સંસ્કારી, સુંદર, તેજસ્વી, ઓજસ્વી, સ્મૃતિવાન, બુદ્ધિમાન, મેધાવી, વિદ્વાન, તેજસ્વી થાય. આપણા પૂર્વજો જે કાંઈ પણ કાર્ય કરતાં તેમાં વ્યક્તિ તથા સમાજનું કલ્યાણ જેમાં સમાયેલું હોય તેવી જ પ્રવૃત્તિ કરતાં. સુશ્રુત સંહિતાના ટીકાકારડલ્હણ અનુસાર: लब्धगर्भाश्चलक्ष्मणादि नस्यदानं गर्भस्थापनम्। मास त्रयाभ्यंतरे पुत्रापत्यजननाय नस्यदानम्।। - ગર્ભ રહ્યો હોય તેવી ગર્ભિણીએ ગર્ભસ્થિર થાય તે માટે તેમ જ પુત્ર ગર્ભ જન્મે તે માટે ત્રણ માસ બાદ લક્ષ્મણા વિ. પુત્રપ્રદ ઔષધિનું સેવન કરવું. આનાથી એ સિદ્ધ થાય છે કે આયુર્વેદ પ્રમાણે પુત્ર પ્રાપ્તિ માટે જ આ વિધિ કરવામાં આવે છે એવું નથી, પરંતુ ગર્ભનો વિકાસ વ્યવસ્થિત થાય અને ગર્ભ સ્થિર થાય તેવો આશય પણ રહેલો છે. આમ પુંસવન સંસ્કારનો હેતુ : બાળકને સારા વિચારો સાથે અવતરણ આપવું. બાળકને સારા સંસ્કાર આપવા. માતા અને પિતાનું મન મજબૂત કરવું. | પિતાનું ગર્ભાવસ્થા દરમિયાન મહત્ત્વ વધારવું. માતામાં પ્રસવ માટે સાહસ અને વિશ્વાસ ઉત્પન્ન કરવા. એક પૂર્ણ બાળકનું વિશ્વને અર્પણ કરવું જે શારીરિક, માનસિક અને વૈચારિક રીતે શ્રેષ્ઠ હોય. સંe mક્ષિા Jain Resort TOT Personar & Private Use Only www.jaelbrary og પ
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy