________________
પુંસવન સંસ્કાશ
પું એટલે પુરુષ એટલે આત્મા સવન એટલે વિકાસ કરવો.
અર્થાત્ સારી આત્માનો વિકાસ કરવો. પુંસવનનો બીજો અર્થ એટલે પુત્ર ઉત્પન્ન કરવાની વિધિ, પરંતુ તે ફક્ત પુરુષને ઉત્પન્ન કરવાની ન હોઈ ને ઇચ્છીત કન્યાને પણ જન્મ આપવાની વિધિ છે.
આપણે સામાન્ય અર્થ એવો લેવો જોઈએ કે જે પણ આત્માનો પ્રવેશ થયો છે તેનો વિકાસ સુયોગ્ય અને સુચારૂ રૂપથી થાય.
આ સંસ્કાર દ્વારા તમે બાળકના વર્ણ,ગુણ વિશેષતા,આયુષ્ય અને આરોગ્યમાં પણ ઇચ્છીત પરિવર્તન લાવી શકો છો. આગળ જન્મેલા બાળક કરતાં ઇચ્છીત તફાવત લાવી શકો છો. આમ પૂર્વના ગુણ છોડીને તેનાથી વિપરીત ગુણમાં પરિવર્તન લાવવો તેને પુંસવન સંસ્કાર કહેવાય છે.
માનવજીવનને સંસ્કૃત કરવામાં અનિવાર્ય માનેલા સોળ સંસ્કારમાં પ્રથમ ગર્ભાધાન સંસ્કાર પછી પુંસવન સંસ્કાર આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં તેનો વ્યવસ્થિત અને વિસ્તૃત ઉલ્લેખ મળે છે. આ પ્રયોગમાં શરીર વિજ્ઞાન, મનોવિજ્ઞાન, જાતીય વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, પ્રભાવ વિજ્ઞાન અને આહાર વિજ્ઞાનનો સમાવેશ થાય છે. - જૈન સાહિત્યમાં પુંસવન સંસ્કારને જ સીમંતોન્નયન સંસ્કાર તરીકે માનવામાં આવ્યું છે. જૈન ધર્મ પ્રમાણે આત્મા વેદનામ તથા જાતિનામ કર્મ લઈને આવે છે જેથી તેની જાતિ પૂર્વેથી નક્કી થયેલી હોય છે માટે તેમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ ગર્ભધારણા પૂર્વે જો ઇચ્છિત સંતાનનો દઢસંકલ્પ કરવામાં આવે તો તે શકય બની શકે છે. ગર્ભમાં આવેલા આત્માના ગુણમાં તો અવશ્ય પરિવર્તન કરી જ શકાય છે. આ સંસ્કારથી સારા ગુણોનું સીંચન થાય છે જેનો ભવિષ્યમાં પ્રભાવ જોવા મળે છે.
આયુર્વેદ પ્રમાણે જો શુક્રધાતુનું પ્રમાણ વધારે હોય તો પુરુષ બાળક થાય છે અને સ્ત્રીના આર્તવનું બળ વધારે હોય તો સ્ત્રી બાળક થાય છે. સંશોધકો પ્રમાણે લિંગ નિર્ણયનું કારણ અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું પરિવર્તન હોય છે.
JS 18 215212
For Personal & Private Use Only
www.jainel
in Education International
પીપ