________________
૨સજ ભાવ:
રસજભાવ એટલે માતાના આહાર સેવનથી ઉત્પન્ન થનારા રસ અને રક્તથી નિર્માણ થનારા ભાવ. આ ભાવથી શિશુમાં શરીરની વૃદ્ધિ, અંગપ્રત્યંગ વ્યક્તતા, પ્રાણવાયુ,વૃત્તિ એટલે કે આજીવિકા, બળ, સ્વાચ્ય, તુષ્ટિ, પુષ્ટિ, ઉત્સાહ અને વર્ણ.
સત્વજ ભાવ:
સત્વ જ ભાવો એટલે ગર્ભમાં રહેતા મનને કારણે ઉત્પન્ન થતા ભાવો. આમાં ભાવનાત્મક તતા મનઃસ્થિતિ સાથે જોડાયેલા ભાવોનું આમાં આકલન કરવામાં આવ્યું છે. આમાં ગર્ભના ભક્તિ, શીલ, શુદ્ધતા, દ્વેષ, સ્મૃતિ મોહ, ત્યાગ, માત્સર્ય, શોર્ય, ભય, ક્રોધ, તંદ્રા, ઉત્સાહ, તીક્ષ્ણ - મૃદુ - ગંભીર સ્વભાવનો સમાવેશ થાય છે.સત્વ એટલે મન પણ આત્માને શરીરની સાથે જોડનાર તરીકે તે આત્માની સાથે જ ગર્ભમાં અવશ્ય પ્રાપ્ત થતું હોય ને તે ગર્ભમાં વિદ્યમાન જ હોય છે. કારણકે મન જીવની સાથે કાયમ રહે છે અને તેથી જ તે મન શરીર સાથે સંબંધ ધરાવે છે. જે મન મરણ સમયે શરીરમાંથી ખસી જવા તૈયાર થાય છે ત્યારે મૃત્યુ પામનારનો સ્વભાવ બદલાઈ જાય છે, ઇચ્છા પણ પલટાય છે, સર્વ ઇન્દ્રિયો સંતાપ પામે છે, બળ ઓછું થાય છે, વ્યાધિઓ વધી પડે છે અને એ મનથી રહિત થયેલો માણસ પ્રાણોનો ત્યાગ કરે છે. વળી તે મન ઇન્દ્રિયોને તેમના વિષયોમાં લઈ જનાર કે પ્રેરણા કરનાર પણ કહેવાય છે. એ મન ત્રણ પ્રકારનું છે સાત્વિક (શુદ્ધ), રાજસ અને તામસ જે કારણે આ આત્માનું મને જે ગુણની અધિકતાવાળું હોય તે જ મનની સાથે તે આત્માને બીજા જન્મમાં પણ સંબંધ થાય છે. જે કાળે આ આત્મા તે જ શુદ્ધ મન સાથે જોડાય છે તે કાળે એને ભૂતકાળની જાતિ કે પૂર્વ જન્મનું સ્મરણ થાય છે. એ આત્માને સ્મૃતિજન્ય જ્ઞાન થાય છે. તે એ શુદ્ધ મનના જ અનુબંધ એટલે અનુસરણથી થાય છે. જે શુદ્ધ મનની અનુવૃત્તિ કે અનુસરણને આગળ કરી પુરુષ જાતિસ્મરણ અથવા પૂર્વજન્મને સ્મરણ કરવાના સ્વભાવવાળો છે એમ પણ કહેવાય છે. આમ ઉપર કહેવાયેલા બધા જ ભાવો આત્માના પોતાના કર્મોથી આશ્રિત હોય છે અને પોતાના અનુકૂળ કાળની પ્રતિક્ષા કરનારા કે રાહ જોનારા હોય છે.
1512 215212
Jain Education International
For Personal & Private Use Only
W
પ૪.