________________
૮ ગળા શીશ્માં -
- આવા વિવિધ ભાવો બાળકમાં બાહ્ય અને આંતરિક જે કોઇ ભાવો આવે છે તેમાં કેટલાક ભાવો માતાના અને કેટલાક ભાવો પિતાના હોય છે.
માતૃજ ભાવ
ત્વચા, રક્ત, માંસ, મેદ, નાભિ, હૃદય, કલોમ, યકૃત, પ્લીહા, કીડની, મૂત્રાશય નાનું આંતરડું, મોટું આંતરડું, આમાશય ઇત્યાદિ નરમ અવયવો મોટે ભાગે માતાના બીજમાંથી આવે છે.
પિતૃજ ભાવ:
માથાના વાળ, દાઢીના વાળ, નખ, રોમ, દાંત, અસ્થિ, શિરા, સ્નાયુ, ધમની, વીર્ય ઇત્યાદિ કઠિણ અવયવો મોટે ભાગે પિતામાંથી આવે છે.
આત્મજ ભાવ:
વિભિન્ન યોનિમાં ઉત્પન્ન થવું, આયુ, આત્મજ્ઞાન, મન, ઇન્દ્રિયો, પ્રાણ, અપાન, પ્રેરણા, ધારણા, આકૃતિ વિશેષ, સ્વર તથા વર્ણનો ઉપચય એટલે કે વધારો તેમાં થતો વિશેષ વધારો કે ફેરફારો, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, બુદ્ધિ, સ્મૃતિ, અહંકાર, પ્રયત્ન જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત થવું, માનસિક શક્તિ કે મનોબળ આ બધા ભાવો શિશુ પૂર્વજન્મના સંસ્કારમાંથી લઈને આવે છે. આ ભાવોમાં સીધી રીતે કોઈ ફેરફાર કરી શકાતો નથી, પરંતુ આને મૂળ સ્વરૂપ ગણીને યોગ્ય માવજત માટે કાર્ય થઈ શકે છે.
Hall Hલા
સાચેજ ભાવ:
માતાના સભ્ય સેવનથી ગર્ભના જે ભાવો પ્રભાવિત થાય છે તેને સાભ્યજ ભાવ કહે છે. આરોગ્ય, ઉત્સાહ, સંતોષ, અનાલક્ષ્ય, અલોલુપત, ઇન્દ્રિયોની પ્રસન્નતા, સ્વરસંપત (ઉત્તમ અવાજ) વર્ણસંપત, બીજસંપત, પ્રહર્ષાધિક્ય (ઘણા પ્રમાણમાં હર્ષ કે આનંદ રહ્યા કરે), મેધા અને ધારણા શક્તિ. આમ આપણે એ કહી શકીએ કે માતાના સાચુ સેવનની સીધી અસર બાળક પર થાય છે.
nternational
For Personal & Private Use Only
www.jaineler
પ૩