________________
પર ખૂબ દયા આવતી હતી, સહાનુભૂતિ થતી હતી અને તેમના જ વિચારો સતત આવતા હતા. તેવા જ સમયમાં તેણીને ગર્ભધારણ થયું અને એને જે બાળક થયો તે અસલ હબસી જેવો કાળો મોટા હોઠવાળો અને વાંકડિયા વાળવાળો હતો.
ખ્રિસ્તી ધર્મસાહિત્યમાં એક ઉદાહરણ આવે છે કે લેબન નામના માલધારીએ પોતાના જમાઈને ઘરજમાઈ તરીકે રાખ્યો હતો. એણે જમાઈ જેકોબ સાથે એવી શરત કરી કે, જો આમાંથી જે જે ગાયોને ચટાપટાવાળું વાછરડું થશે તો તને તે મહેનતાણારૂપે મળશે. શરત નક્કી થઈ. જેકોબે એક યુક્તિ કરી તેણે તમામ ઝાડની છાલ એવી રીતે ઊતારી નાખી કે તે કાબર ચીતરી લાગે. બળવાન ગાયોનું ધણ જ્યારે ત્યાં જતું તેમની નજર હંમેશાં ત્યાં પડતી અને તેમને થનારા વાછરડા કાબરચીતરા કે ચટાપટાવાળા થયા. જ્યારે દુર્બળ ગાયો હતી તેણે આ દૃશ્ય જોયું નહોતું તેમને એકરંગવાળા જ વાછરડા થયા. સુશ્રુત સંહિતામાં (૨-૪૯) કહ્યું છે કે દંપતિ જેવા આહાર, વિહાર,વર્તન અને વિચાર કરતાં સમાગમ કરે છે તેવા તેના સંતાન થાય છે.
આજના બાળકો એક્ટર અને ક્રિકેટર જેવું વર્તન કરે છે, પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે છે, બહારનું ખાવામાં રૂચિ ધરાવે છે, તીખું ખાટું વધારે નમકવાળું મસાલાવાળું ખાય છે તેનું કારણ માતા પિતાના જે રસ રૂચિ હોય છે તે સંતાનમાં અવતરે છે.
પહેલાના જમાનામાં સપુરુષો જેવા આહાર, વિહાર અને વર્તણુકવાળા સંતાન ઘણાં પરિવારમાં થયેલાં. રાષ્ટ્રીયતા, માનવતા, સ્વાતંત્ર્યપ્રેમ, કરકસર, સાદાઈ, સત્યપ્રિયતા તેમનામાં જન્મથી જ જોવા મળતી. આજે એક્ટરોની અસરથી સ્વચ્છંદ, અધીરિયા અને અનુશાસનના અભાવવાળા,ઉડાઉ અને અવિનયી બાળકો જોવા મળે છે.
એક જગ્યાએ કહ્યું છે કે પુરુષે મહાપુરુષો અને ધાર્મિક પુરુષોનું ચિંતન કરવું જેથી તેના ગુણ પોતાનામાં ઉતરે, તેમ જ ગર્ભાધાન સમયે સ્ત્રી પુરુષના જેવા વિચાર હશે તેવું બાળક તેને થશે. તેના માતા અને પિતાએ પણ શિશુ સાથે વાતચીત કરવી. આનાથી બાળકનો માતા-પિતા પ્રત્યેનો પ્રેમ વધે છે.
ગર્ભાધાન પ્રક્રિયા દરમ્યાન ત્રીસ લાખ થી માંડીને ત્રણ ક્રોડ જેટલા શુક્રાણુઓ ઉત્સર્જીત થાય છે અને ચાલીસ જેટલા સ્ત્રીબીજો તૈયાર થાય
મા શકિત
in International
For Personal & Private Use Only
WWW.jaine
પા