________________
વિવિધ ઘટકોની બાળકપ અશર
આહાર
: ગર્ભાધાનની ઇચ્છા રાખનાર સ્ત્રીએ ગાયનું દૂધ લેવું,
ગાયનું ઘી લેવું, અને સાત્વિક આહાર લેવો.(આનો વિશેષ વિચાર આપણે આગળના પ્રકરણમાં કરીશું).
વિહાર
: તેનું મકાન, ઓરડો,બિછાનું, ઊઠવા બેસવાના સાધનો
તથા મનને અનુકૂળ એવા વિહાર કરવા. (આનો વિશેષ વિચાર આપણે આગળના પ્રકરણમાં કરીશું).
પુરુષનો વિહાર : શુક્ર સૌમ્ય હોવાથી વિહાર પણ સૌમ્ય રાખવા. આરામ,
આનંદ, બ્રહ્મચર્ય, ઠંડુ વાતાવરણ, શાંત, સોમ્ય કુદરતી સ્થળે આવાસ હિતાવહ છે. ક્રોધ, અસંયમ, ઉજાગરા,
અતિપરિશ્રમ, ચિંતા, શોક વિ. થી બચવું જોઈએ. | વાંચન : સભ્યતાયુક્ત, ધીર, વીર, દેશભક્ત તથા સત્પુરુષોની,સંત
પુરૂષોની તથા ભગવાનની વાર્તા વાંચવી, સાંભળવી.
આચાર
: દરેક દંપતિઓએ પોતાના આચાર ઉત્તમ રાખવા. કદાચ
પૂર્વેથી આચાર ઉત્તમ ન હોય, પરંતુ તેને કેળવવા અત્યાવશ્યક છે. કારણકે જેવા આચાર તમારા હશે તેવા જ બાળકના હશે. માટે જ તેના પ્રત્યે અત્યંત સજાગ રહેવું.
BIB elit
de
International
For Personal & Private Use Only
www.jainelibrary.org