________________
એક સારા સમયમાં ગર્ભધારણા કરવી એ માતા અને બાળક બન્નેને અસર કરે છે. એ વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જ્યારે માતા [High B.P., Diabetes, Asthama જેવા રોગોથી પીડિત હોય છે.પહેલા માતાના આ બધા રોગોને શાંત કરવા જોઇએ.નિરોગી માતા જ નિરોગી બાળકને જન્મ આપી શકે.
સફળ ગર્ભાવસ્થા એ એક સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળકનું નિર્માણ કરે છે. આજના કાળ પ્રમાણે ફક્ત ગર્ભવસ્થા દરમિયાન જ ધ્યાન રાખવું જરૂરી નથી હોતું પણ ગર્ભધારણા પહેલાથી જ સ્વાથ્યની દૃષ્ટિએ ધ્યાન રાખવું જરૂરી છે. આમ ગર્ભાવસ્થા દરમ્યાન તેમ જ ગર્ભધારણા પૂર્વે જે કાળજી લેવામાં આવે તેને જ Preconceptional care કહેવાય છે.
આનો ધ્યેય
એક સફળ ગર્ભાવસ્થા માટે. શરીરને ગર્ભધારણા માટે યોગ્ય બનાવવા. સ્વાથ્યની દૃષ્ટિએ માતા અને બાળકના જોખમો ઘટાડવા
આમ Preconceptional care ગર્ભધારણા પૂર્વે જ કરવું જોઈએ. સામાન્યતઃ મોટા ભાગની ગર્ભધારણા આયોજન વગરની જ હોય છે આયોજન તો ઠીક પણ ઇચ્છા વગરની હોય છે. ઇચ્છા કે આયોજન વગરની ગર્ભધારણા કેવું ફળ આપે ? ઇચ્છા કે આયોજન વિનાની પરીક્ષાનું પરિણામ શૂન્ય આવે.ઇચ્છા કે આયોજન વિના કરેલ વ્યાપારનું પરિણામ શૂન્ય આવે.તેમજ ઇચ્છા કે આયોજન વિનાની ગર્ભધારણાનું પરિણામ શૂન્ય તો આપે પણ ઘણીવાર વિપરીત પણ આપે.આનો મુખ્ય હેતુ દંપતિને શારીરિક, માનસિક કે આર્થિક રીતે તૈયાર કરવાનો છે.
જેવું બીબું હોય તેવો ઢાળ પડે છે તેમ જેવું ક્ષેત્ર કે બીજ હોય તેવું જ સંતાન થાય છે. તેથી જ ક્ષેત્ર અને બીજને ઉત્તમ અને શ્રેષ્ઠ બનાવવા માટે જ ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે છે.
HZ-sle eusri
For Personal & Private Use Only
Education International
www.jaine