________________
સાત્વિક બુદ્ધિ, દેશભક્તિ, ધર્મશ્રદ્ધા જેવા ગુણો કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. જીનેટિક સાયન્સ મુજબ વ્યક્તિના સમગ્ર ગુણો કે દોષો સંપૂર્ણરૂપથી પોતાના બાળકમાં આવે છે. આ જીન્સ શારીરિક, માનસિક અને વૈચારિક આ બધા જ ગુણો ધરાવે છે, પણ એવું નથી કે આપણે તેને બદલી ન શકીએ. યોગ્ય શારીરિક અને માનસિક ઉપચારો દ્વારા તેને બદલી શકાય છે. જરૂરી નથી કે માતા પિતાના બધા જ ગુણો બાળકમાં આવે, પણ જે ગુણોનો વિચાર તેમણે હૃદયપૂર્વક કર્યો હોય તે ગુણો અવશ્ય સંતાનમાં આવે છે.એટલે જે ગુણો બાળકમાં આવે તેમ ઇચ્છતા હોઇએ તે ગુણોને આપણે પૂર્ણપણે અપનાવવા જોઇએ અને જે દોષો બાળકમાં ન આવે તેવું ઇચ્છતા હોઇએ તે દોષો માતા પિતાએ પહેલેથી પોતાનામાંથી દૂર કરવા જોઇએ.
ગર્ભાધાન એ ફોટોગ્રાફરના કેમેરા સમાન છે. ફોટો લેતી વખતે મનુષ્ય પોતાના શરીરની જેવી આકૃતિ રાખે તેવો જ ફોટો આવે છે તેમ ગર્ભાધાન ક્રિયા વખતે પણ શરીરના અંગોપાંગ,અવયવો અને વિચારો કે સંકલ્પો જેવા હોય તેવા જ આવે છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગર્ભધારણા કરતા પહેલા દંપતિઓએ ભાવિ બાળક માટે પોતાને માનસિક રીતે તૈયાર કરવા પડે છે. સૌપ્રથમ તેઓએ વિચારવું જોઈએ કે,
શું તેઓ પોતાના બાળક માટે યોગ્ય સમય આપી શકશે કે નહીં? ખાસ કરીને શરૂઆતના ભાગમાં તેઓ બાળકની માંગોને પૂરી પાડી શકશે કે નહી ?
બાળકને એક માનવી બનાવવાની જવાબદારી નિઃસ્વાર્થપણે નિભાવી શકશે કે નહીં?
Go
તેથી જ ગર્ભ ધારણા એક સુંદર પ્રસંગ હશે, પણ એક સુંદર સ્વસ્થ અને ઉત્તમ બાળક માટે થોડી મહેનત અને યોજના માગી લે છે અને તે પણ ગર્ભધારણા પૂર્વેથી કારણકે વૃદ્ધિ પામતું ગર્ભસ્થિત બાળક પોષણ અને રક્ષણ માટે સંપૂર્ણ રીતે માતા પર આશ્રિત હોય છે. તેથી માતાએ ગર્ભધારણા પૂર્વે જ પોતાની જીવનચર્યા સંપૂર્ણપણે બદલવી જોઈએ જેથી ગર્ભાવસ્થા દરમિયાન જોખમો દૂર કરી શકાય.અને ઉત્તમ બાળકને જન્મ આપી શકાય.
21212
Education international
For Personal & Private Use Only
WWW.jee