________________
ગર્ભાધાન સમયના માસિક વિચાશે
માતા પિતાનું વ્યક્તિત્વ તેમના પ્રગટ કે અપ્રગટ ભાવો, ગુણ, દોષ, પ્રકૃતિ સંતાનોને વારસામાં મળે છે. મોટા ભાગે આ ક્રિયા પ્રાકૃતિક રીતે પણ થતી હોય છે અને એટલા માટે જ માતા પિતા આ વિષયમાં એટલા સજાગ નથી હોતા, પરંતુ જો તેઓ નિશ્ચય કરે તો તેમના શ્રેષ્ઠ ગુણો સંતાનમાં આવી શકે છે અને દોષોને આવતા રોકી શકાય છે, પણ તે માટે માતા પિતાએ ગર્ભાધાન પૂર્વે તેયારી કરવી પડે છે. આપણી લાગણીઓ, ધીરજ, એકાગ્રતા જેવા આદર્શ ગુણો સંતાનમાં નિઃસંદેહ ઊતરી આવે છે અને ક્રોધ,ઇર્ષા વિ. દોષોને આવતા રોકી શકાય છે. ગર્ભાધાન વખતે તે શયનકક્ષને પણ એવી જ રીતે સજાવતા. ઇષ્ટદેવની પૂજા, હોમ, હવન તેમજ રંગીન પડદાઓ તથા હકારાત્મક વિચારોવાળા મનુષ્યો સાથે હર્ષોલ્લાસ કરી આનંદિત રહેતા. બાગબગીચા, નદી, તળાવ, આકાશ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર આદિનું નિરીક્ષણ કરતા જેથી ઉત્તમ વિચારો પ્રગટ થાય અને તે બાળકમાં આવે.
ઉદા. કાશ્યપ ઋષિને બે પત્ની હતી એક દિતિ અને બીજી અદિતિ. એમાં 5 દિતિ ભોગીવૃત્તિવાળી હતી અને અદિતિ સાત્વિક વૃત્તિવાળી.
| દિતિ અને કશ્યપના પુત્ર હિરણ્યકશ્યપુ અને તેનો જ પુત્ર પ્રફ્લાદ. એક જ વંશમાં એક દાનવીવૃત્તિવાળો અને બીજો દેવી વૃત્તિવાળો, પરંતુ તેમ થવામાં કારણ છે અને તે છે માતા ક્યાધુની અદમ્ય ઇચ્છા અને સ્થિત ગુણોથી વિપરીત ગુણોનું સિંચન કરવાનો દઢ સંકલ્પ.માતા પિતાના દ્રઢ સંકલ્પ પ્રમાણે જ બાળક થાય છે.
જે તે વ્યક્તિ કુટુંબ,સમાજ કે દેશ કે વિશ્વનું ભાવિ માતાના હાથમાં છે એક માતા જેવું ધારે તેવી પોતાની ભાવિ પેઢીને બનાવી શકે છે. ઉત્તમ, સુંદર, શ્રેષ્ઠ, સાત્વિક બાળક ઉત્પન્ન કરવા માટે માતા પિતા એ પ્રથમ પોતાનામાં એ ગુણ વિકસિત કરવા જોઈએ. તેમને જોઈએ તેવા સંતાનની જીવનશૈલી પોતે અપનાવવી જોઈએ, લોકો બાળકને વારસામાં મિલકત આપી જાય છે, પણ તેની ચિંતા કરવાને બદલે શ્રેષ્ઠ વારસની ચિંતા કરવી જોઈએ. સગુણ,
ernational
For Personal & Private Use Only
www.jairtearyd
૪પ