________________
કોઈપણ પદાર્થ ઉપર એકથી વધારે વસ્તુનું આકર્ષણ જો સીધી લીટીમાં થતું હોય, તો તે વિશેષ અસર કરે છે. તે મુજબ અમાસ અને પૂનમે સૂર્ય-ચંદ્રના એકઠા મળેલા આકર્ષણથી પૃથ્વી ઉપરનાં વાતાવરણ, પાણી તથા સ્થાવર જંગમ પ્રાણીઓ ઉપર વિશેષ અસર થાય છે, જે સ્થળષ્ટિથી જાણવામાં આવતી નથી, પરંતુ વિચારષ્ટિએ જોવાથી પ્રત્યક્ષપણે જણાઈ આવે છે.
જેમ કે અમાસ ને પૂનમે સમુદ્રમાં વિશેષ ભરતી તથા બીમારને વધારે તકલીફ થતી જોવામાં આવે છે, તેમાં પણ દમના રોગીને થતી પીડામાં વધારો પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. એ જ મુજબ અન્ય ગ્રહો પણ જ્યારે પૃથ્વીની કોઈપણ બાજુએ સીધી લીટીમાં એકથી વધારે આવે છે, ત્યારે તેમનું એકઠું મળેલું આકર્ષણ પણ પૃથ્વી ઉપરના વાતાવરણ, પાણી તથા સ્થાવર જંગમ | પ્રાણીઓ ઉપર અસર કરે છે, પરંતુ તે સૂર્ય-ચંદ્ર જેટલી કરી શકતા નથી. કેમ કે સૂર્ય પૃથ્વી કરતાં વિશેષ મોટો છે અને ચંદ્ર વિશેષ નજીક છે. તેમ જ બીજા ગ્રહો બહુ દૂર અને નાના કદના છે. એ મુજબ અમાસ અને પૂનમે સર્ય-ચંદ્રનું એકઠું મળેલું આકર્ષણ પૃથ્વી ઉપરના તમામ પ્રાણીયોના શરીર ઉપર અને બીજી પણ વસ્તુઓ જેવી કે નદીઓ, તળાવો, ફળો વગેરે ઉપર ખરાબ અસર કરતું હોવાથી એવા દિવસોમાં સ્ત્રીસંગ કરવો નહીં. કેમ કે તેમ થવાથી બળ ઘટે છે, ને બળ ઘટવાથી કોઈપણ પ્રકારની અસર શરીર ઉપર તુરત થાય છે. તેમ જ કદાચ તે વખતે સંતતિનો યોગ થાય તો તે પણ બળહીન થાય એમાં કંઈ નવાઈ જેવું નથી. રક્તમાં પાણીનો ભાગ વિશેષ છે તેથી ઉપર કહેલા આકર્ષણની વિશેષ અસર હોય છે.રક્ત ઉપર ચંદ્રનું વિશેષ આકર્ષણ થાય છે, એથી ચૌદશ, અમાસ, આઠમ અને પૂનમે પુરુષ-સ્ત્રીના વીર્ય આદિ ધાતુઓનો યોગ વિષમ થઈ જાય છે. એ માટે એ સમય ઋતુદાન માટે અનુકુળ નથી. જૂના વખતથી એ દિવસોએ શાળઓમાં તેમ જ કડિયા સુથારોના કામોમાં રજા પાળવાનો રિવાજ એવા જ કારણને લીધે દાખલ થયો હોય તેમ જણાય છે અને પાણી પવનની શુદ્ધિ તથા આરોગ્યને નિમિત્તે જ ઘણું કરીને મોટા મોટા યજ્ઞો થતા હતા, જેથી મનુષ્યોના શરીરમાંના રક્તની દશા યથાવત્ બની રહેતી હતી.
આ સિવાય બન્ને સંધ્યા(અરૂણોદયકાળ અને સુર્યાસ્તકાળ), સંક્રાંતિકાળ, ગાયોને છૂટવાનો સમય, અડધી રાત અને બપોરના સમયે પણ સંસારવ્યવહાર કરવાની મનાઇ છે.બ્રાહ્મમૂહંત શ્રેષ્ઠ કાળ છે.
શક્ષિા
interratonal
Tor Personal & Private Use Only
૪