________________
ઉપવાસ પોતાની શક્તિ પ્રમાણે જ કરવા. એવું નહિ કે એક દિવસ ઉપવાસ કર્યો ને બીજા દિવસે લાડુ, મિષ્ટાન્ન વગેરે પેટમાં ઠાંસી ઠાંસીને ઉપવાસની કસર કાઢી નાખવી. વધારે પડતાં ભૂખ્યા રહેવું ઠીક નથી એમ જ વધારે પડતું ખાવું પણ યોગ્ય નથી.
આમ તો ઉપવાસનો સાચો અર્થ થાય છે પરમાત્માની નિકટ રહેવું. ઉપ એટલે સમીપ. વાસ એટલે રહેવું. નિરાહાર રહેવાથી આત્મચિંતનમાં મદદ મળે છે. વૃત્તિ અંતર્મુખ થવાથી કામ-વિકારને પાંગરવાનો મોકો જ નથી મળતો. ડુંગળી, લસણ, મદ્યપાન અને માંસાહાર વીર્યક્ષયમાં મદદ કરે છે. આથી એ ચીજોથી અવશ્ય દૂર રહેવું.
વ્યાયામથી પણ વધુ ઉપયોગી યોગાસનો છે. શરીરના સર્વાગી વિકાસ અને બ્રહ્મચર્ય સાધના માટે આસનો અત્યંત ઉપયોગી સાબિત થયાં છે. આસનથી નાડી શુદ્ધ થવાથી સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે. આમ તો શરીરમાં ભિન્ન ભિન્ન અંગોની પુષ્ટિ માટે અનેક પ્રકારનાં આસનો છે, પરંતુ વીર્યરક્ષા માટે પાદપશ્ચિમોત્તાનાસન, સર્વાગાસન,ત્રિબંધ થોડી-ઘણી સાવધાની રાખીને દરેક જણ કરી શકે છે. એમાંય પાદપશ્ચિમોત્તાનાસન તો ખૂબ જ ઉપયોગી છે. બ્રાહ્મમુહૂર્તમાં જાત્તવું
મોટા ભાગે સ્વપ્નદોષ રાત્રિના છેલ્લા પ્રહરમાં થતો હોય છે. આથી પરોઢિયે ૪-૪ વાગે એટલે કે બ્રાહ્મમુહૂર્તમાં જ પથારી છોડી દો. જે લોકો સવારે મોડે સુધી ઊંઘતા રહે છે એમનું જીવન નિસ્તેજ થઈ જાય છે.બ્રાહ્મમુહૂર્તમાં જાગવાથી વહેલી પરોઢના શુભ પરમાણુઓનો લાભ થાય
દુર્વ્યસનોથી દૂર રહો
દારૂ અને બીડી - સિગારેટ તથા તમાકુનું સેવન મનુષ્યની કામ-વાસનાને ઉશ્કેરે છે. નશાવાળી ચીજોના સેવનથી ફેફસાં અને હૃદય કમજોર થઈ જાય છે, સહનશક્તિ ઘટે છે અને આયુષ્ય ટૂંકું થાય છે. અમેરિકન ડૉક્ટરોએ શોધી કાઢ્યું છે કે નશાવાળી ચીજોના સેવનથી વીર્ય ઉત્તેજિત થઈને પાતળું તથા નબળું થઈ જાય છે. સત્સંગ કરો
શકિત મા
Jandu baton International
For Personal & Private Use Only
ww
38