________________
આયુર્વેદમાં ગર્ભધાણા માટે - ચા ભાવો વર્ણવ્યા છે ध्रुव चतुर्णांसानिध्याद् गर्भ :स्याद् विधिपूर्वकः। ऋतुक्षेत्रांबुबीजानां सामग्यादंकुरो यथा।।
(પુ. શા. ૨/૩ ૩) જેમ ઋતુ, ક્ષેત્ર,પાણી અને બીજ આ ચાર વસ્તુ ભેગી થાય ત્યારે અંકુર ફૂટે છે, તેમ આ ચારના જ સંયોગથી ગર્ભની પણ ઉત્પત્તિ થાય છે.
ખેતરમાં ઉત્તમ વનસ્પતિ કે ઉત્તમ વૃક્ષ વાવવા માટે પ્રથમ તો ઉત્તમ ઋતુ જોવી પડે જેથી તે ઋતુમાં એ જીવંત રહી શકે તેમ જ તે ઋતુને અનુકૂળ થવું જોઈએ.બીજને અનુકૂળ ઋતુ જોઇએ.
ક્ષેત્ર એટલે જગ્યા જોવી પડે કે આ જગ્યા પર વૃક્ષ કે વનસ્પતિ વ્યવસ્થિત ઊગી શકશે કે નહીં. અહીં તેને પોષણ બરાબર મળશે કે નહિ તેનો વિચાર કરવો પડે
અંબુ એટલે પાણીનો વિચાર કરવામાં આવે છે કારણકે વૃક્ષની વૃદ્ધિ તો તેને મળનારા પોષણ પર જ આધાર રાખે છે. માટે જ તેના માટે અવિરત તેમ જ શુદ્ધ પાણીની વ્યવસ્થા જોવામાં આવે છે.
છેલ્લે પરંતુ સૌથી મહત્ત્વનું છે વૃક્ષનું બીજ ઉત્તમ છે કે નહીં? કારણકે ઉપરના બધા જ ભાવો શ્રેષ્ઠ હોય, પણ બીજ જ અશુદ્ધ હોય તો તે નકામું છે માટે બીજ હંમેશાં ઉત્તમ હોવું જોઈએ. બસ આવી જ રીતે ગર્ભનું છે.
VER EFFE
Jain Education International
For Personal & Private Use Only
*