________________
ગર્ભાધાન એ ફોટોગ્રાફરના કેમેરા સમાન છે. ફોટો - છબી લેતી વખતે (લેન્સનું ડાયલ ખોલતી વખતે) મનુષ્ય પોતાના શરીરની - અવયવોની જેવી આકૃતિ રાખે, તેવી જ છબી ઉતરે છે.
જેવી રીતે બાહોશ ખેડૂત અથવા બાગવાન-માળી અનાજ અગર સુંદર વૃક્ષના ઉગવા વખતે અને પાંદડા આવવા વખતે તેની વૃદ્ધિ ને પોષણને માટે ઉત્તમ ખાતર અને ફૂલફળ આવ્યાથી અન્ય પ્રકારના ખાતરની તથા અન્ય અન્ય ક્રિયાઓનો ઉપયોગ કરે છે, તેવી રીતે મનુષ્યરૂપી જીવનને ઉત્તમ બનાવવા ગર્ભાધાન, પુંસવન વગેરે સંસ્કાર કરવા યોગ્ય છે. જુઓ કે જેવો સાંચો-બીજું હોય, તેમાં તેના જેવી જ આકૃતિ બને છે. એવી જ રીતે ઉત્તમ ક્ષેત્ર અને બળવાન બીજ હોય તો તેવા જ ફળની પ્રાપ્તિ સંભવે છે. જ્યારે ખારોડ જમીનમાં બીજ વાવતાં બીજ પણ બળી જાય છે, માટે જ ઉત્તમ સંતાનની ઇચ્છાવાળા દંપતિએ નિયમ પ્રમાણે રક્તવીર્યની શુદ્ધિ કરી - બળ પેદા કરી ઉત્તમ સંસ્કારોસહ ગર્ભાધાન સંસ્કાર કરવો.
BIE TIRTH
International
For Personal & Private Use Only
WWWETT
૨૧