________________
સંસ્કાર
ગર્ભાધાન સંસ્કાર : ઉત્તમ સંતાન માટે ઉચિત સમય અને ઉચિત અવસ્થા જોવામાં આવે છે.
| ઉચિત સમય એટલે દંપતિની ઉંમર. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે સ્ત્રીને બાર વર્ષે રજોદર્શન થાય છે અને પુરુષમાં સોળ વર્ષે શુક્ર ઉત્પન્ન થાય છે, પરંતુ આ સમયમાં તે બીજ સંપૂર્ણ રૂપથી પક્વ નથી થતા. તેથી જ પ્રાચીન શાસ્ત્રમાં પણ વિવાહ યોગ્ય ઉંમર સ્ત્રી માટે સોળ વર્ષ અને પુરુષ માટે પચ્ચીસ વર્ષ રાખવામાં આવી છે કારણકે આ ઉંમરમાં પુરુષ અને સ્ત્રી બીજ પરિપક્વ થઈ જાય છે, પરંતુ જો આના પૂર્વે ગર્ભધારણા કરવામાં આવે તો તેમના શરીરનો નાશ થાય છે. જેમ કાચી કેરી ઝાડ પરથી તોડવામાં આવે તો તેનો કાંઈ ઉપયોગ નથી અને જો કેરી વધુ પ્રમાણમાં પાકે તો તે આપોઆપ ખરી પડે છે અને તે પણ કાંઈ જ કામમાં નથી આવતી, માટે જ અત્યંત નાની ઉંમરમાં અને અતિ મોટી ઉંમરમાં ગર્ભધારણ કરવું હિતાવહ ન ગણાય.
પહેલાના કાળમાં રાજા મહારાજાઓ પોતાના બાળકના જન્મ માટે ઉત્તમ સમય જોતા. ત્યાર પછી તેના નવ મહિના પૂર્વે ગર્ભાધાન સમય જોતા અને તેના ત્રણ મહિના પૂર્વ તૈયારી શરૂ કરતા.
જો તમારો સંકલ્પ સર્વોત્તમ બાળક માટે હોય તો બાર મહિના બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે.
જો ઉત્તમોત્તમ બાળક માટેનો સંકલ્પ હોય તો છ મહિના બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે.
VER EGREE
| ઉત્તમ બાળક માટેનો સંકલ્પ હોય તો ત્રણ મહિના બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે.
Sadulloh International
For Personal & Private Use Only
www.ainelistano