________________
પુરુષ બનાવવા માંગતી હતી. એમને જે સફળતા મળી, તે બીજાને પણ મળી શકે છે. શરત માત્ર એટલી જ છે કે પોતાના અંતઃકરણમાં આદર્શો પ્રત્યે ઊંડી શ્રદ્ધા સ્થાપવામાં આવે અને એના માટે સાહસ એકઠું કરવામાં આવે. સંકલ્પ એને જ. કહે છે.
- ધ્રુવનો જન્મ ઋષિના આશ્રમમાં થયો હતો. એમની માતા સુનીતિ સરળ સ્વભાવની અને ઈશ્વરભક્ત હતી. ધ્રુવની મહાનતામાં વાતાવરણની ભૂમિકા મહત્ત્વની હતી.
સતી મદાલસાના વિષયમાં કહેવામાં આવે છે કે, તે પોતાના બાળકના ગુણ, કર્મ, સ્વભાવની ઘોષણા પહેલેથી જ કરી દેતી હતી. પછી એને અનુરૂપ સતત ચિંતન, રહેણીકરણી, આહાર વિહાર અપનાવતી હતી. આ પ્રમાણ ગર્ભાવસ્થામાં જ બાળકનું ઘડતર થઈ જતુ હતું.
ઇતિહાસ બતાવે છે કે એમના ત્રણ બાળક જ્ઞાની, સંત ને બ્રહ્મનિષ્ઠ બન્યા હતા. પતિના કહેવાથી છેલ્લા બાળકનું તેમણે રાજનેતાના રૂપમાં ઘડતર કર્યુ.
આમ ઋષિઓએ ‘ગર્ભાવક્રાંતિ'નું અતિ રહસ્યપૂર્ણ - ખૂબ જ મહત્ત્વનું વિજ્ઞાન રચીને માનવજાત પર ખરે જ ઉપકાર કર્યો છે. તેનો સુભગ સમન્વય કરીને જીવનમાં પ્રગતિ કરીએ..
સંદર્ભ – ડૉ. સુભાષ જોષીના પુસ્તક (ગો બેક ટુ આયુર્વેદ) માંથી સાભાર.
મા
e
HILE શનિા
For Personal & Private Use Only
Education international
૧૯
www.jaine