________________
આ સંબંધમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી અને સેલબાયોલોજી વિભાગના નિર્દેશક ડૉ. રૂપર શેલેંકે વૈજ્ઞાનિકો સામે એક નવી કલ્પના ગુણસુત્રોના ડી.એન.એ.નો ગર્ભાશયના ભૌતિક વાતાવરણ સાથે કોઈ. પારસ્પરિક સંબંધ નથી હોતો. આ પ્રક્રિયાના મૂળમાં એક સક્રિય ચેન શક્તિ કામ કરે છે. એને એમણે માર્સીજનેટીક ફીલ્ડ નામ આપ્યું છે. જે રીતે એક ચુંબકની આજુબાજુ એક વિશેષ પ્રકારનું ઊર્જાક્ષેત્ર સક્રિય થઈ જાય છે અને ત્યાં આસપાસ પડેલા લોખંડના કણ એકઠા થઈ જાય છે એવી જ રીતે રતિક્રિયા અને ગર્ભસ્થાપન થતાની સાથે જ એક પ્રેરક શક્તિ સક્રિય બની જાય છે. તે શરીર અને મનને રૂપ અને આકાર આપે છે. આ રહસ્યમય ચેતન શક્તિના વિષયમાં પોતાની કલ્પના રજૂ કરતાં તેઓ આગળ લખે છે કે ગર્ભ તથા માર્ફોજેનેટિક શક્તિની વચ્ચે જે લયબદ્ધતા (માર્ફિ રેજોનન્સ) ઉત્પન્ન થાય છે જે શરીરની સૂક્ષ્મ અંગોની રચના અને મગજની બુદ્ધિ, સ્મૃતિ અને જન્મજાત વિશેષતાઓ માટે જવાબદાર છે.
મંa શકા
મુશ્કેલીની વાત એ છે કે ગર્ભવૈજ્ઞાનિકો, જીવવૈજ્ઞાનિકો અને વ્યવહાર વૈજ્ઞાનિકોમાં પરસ્પર તાલમેળ નથી બેસતો. જ્યાં પહેલો વર્ગ આકૃતિ અને સ્થૂળ ક્રિયાઓને જ મહત્ત્વ આપે છે ત્યાં બીજો વર્ગ વિચાર કરવાની શક્તિ, માનસિક પ્રતિભા, શીખવાની ક્ષમતા અને લાગણીપૂરક પ્રતિક્રિયાને વ્યવહાર રૂપમાં વધારે મહત્ત્વ આપે છે. બન્ને પ્રકારની વિશેષતાઓ વંશ પરંપરા દ્વારા જ માતામાંથી પુત્ર કે પુત્રીમાં ઉતરી આવે છે, પરંતુ જ્યાં રૂપ-રંગ માટે માતાપિતાના ક્રોમોસોમને અમુક અંશે જવાબદાર ગણવામાં આવે છે ત્યાં સ્વભાવ અને વ્યવહાર માટે માતાનું ચિંતન, ભાવ, લાગણીનું સ્તર, ગર્ભકાળમાં આસપાસનું વાતાવરણ વધારે જવાબદાર છે. આ કારણે જ પ્રાચીન ગ્રંથોશાસ્ત્રોમાં કહેવામાં આવતું હતું કે ગર્ભાવસ્થામાં માતાએ આહાર-વિહાર અને માનસિકભાવ - લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ. આ દિવસોમાં માતાના મનની જેવી સ્થિતિ હોય છે એવું સંતાન જન્મે છે.
ternational
For Personal & Private Use Only
WN