________________
સારું વાંચન કે સારા દૃશ્યો જોવા. શરીર શુદ્ધિ સાથે વિચાર શુદ્ધિ જરૂરી છે.જેવા તમારા વિચાર હશે તેવું તમારું બાળક થશે. વિચારશુદ્ધિ માટે આહાર શુદ્ધિ જરૂરી છે.તેની સાથે સાથે સત્સંગ, સવાંચન, સત્શ્રવણ, સારા દૃશ્યો- સારા ચિત્રો જોવા.સર્જન અને હકારાત્મક અભિગમવાળી વ્યક્તિઓને જ મળવું. આનાથી તમારી માનસિક અને વૈચારિક શુદ્ધિ અવશ્ય થાય છે.
વંશ પરંપરાને પ્રભાવિત કરતી વાતાવરણની સૂક્ષ્મ શક્તિઃ
સ્થૂળ રૂપમાં મનુષ્યનું અસ્તિત્વ જોનારા એ નથી જાણતા કે આ સ્થિતિ સુધી
પહોંચવામાં કોઈ અજાણી શક્તિએ કેટલો પ્રબળ પુરુષાર્થ કર્યો છે. શુક્રાણુના મૂળમાં છુપાયેલી ગુણસુત્રની શક્તિ આકૃતિ-પ્રકૃતિ અને સ્વભાવ ઘડતર કરે છે અને શુક્રાણુની સાથે સાથે શરીરના વિલક્ષણ ક્રિયા તથા મિલનની ઇચ્છા આ ક્રિયામાં પોતાનો ફાળો આપે છે. આટલી વાત સૌ કોઈ જાણે છે. વંશ-પરંપરા, એની પ્રક્રિયા, ‘ગર્ભવિકાસ સંબંધી જાણકારી મેળવી હોવા છતાં પણ વૈજ્ઞાનિકોને હજુ એક કોયડાનો ઉકેલ મળતો નથી. એ કોયડો છે એક અજાણી ચેતન શક્તિ તે ડી.એન.એ. (ડીઓક્સી રાઈબોન્યુક્લીક એસિડ)ને પ્રેરણા આપે છે કે તે અમુક પ્રકારે જીવકોષોને અંગોના રૂપમાં ભેગા કરે. આ મૂળ પ્રેરક બળ કયું છે? ક્યાંક આ એ પ્રેરણા પ્રવાહ તો નથી ને, જે માતાના સંસ્કારોને ગર્ભસ્થ બાળકના શરીર અને મન પર પાડે છે?
FB LIFE
international
For Personal & Private Use Only
www.jainelibrary
વ
,