________________
યોગ્ય પ્રસંગોએ યોગ્ય મહેનત કરવી જોઈએ. ધો. દશમા અને બારમાની પરીક્ષા માટે આપણે આખું વર્ષ ખૂબ જ મહેનત કરીએ છીએ કારણકે તેનું સારું પરિણામ આપણી કારકીર્દિ ઘડે છે તો આ તો એક જીવને અવતરણ આપવાનું છે, આપણા કુળને આગળ વધારવાનું છે. વિશ્વને એક ઉત્તમ ભેટ આપવાની છે તો તેના માટે તમે પૂર્વ તૈયારી ન કરી શકો? જો તમે ઇચ્છતા હોય કે તમારી કુક્ષિમાંથી શ્રેષ્ઠ બાળકનું સર્જન થાય તો તમારે ગર્ભસંસ્કારના નિયમોને સમજવા જ પડે. ઉત્તમ સંતાન માટે ફક્ત સ્ત્રીની જ નહિ, પણ પુરુષની પણ તૈયારી જોઈએ. ગર્ભધારણ કરવાની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની છે, પરંતુ ઘણી સ્ત્રીઓ કારકીર્દિની આંધળી દોડને કારણે આ વાત ભૂલી જાય છે જેથી પાછળથી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તમે મનને સાત્વિક બનાવો, સાત્વિક મન શરીરને શુદ્ધ બનાવશે આ શુદ્ધ શરીર બીજને ઉત્તમ બનાવશે અને આ શુદ્ધ બીજથી એક ઉત્તમ સંતાનનો જન્મ થશે.
પતિ પત્ની એકાંત મિલન વખતે વાસનાત્મક મનોભાવ ન રાખે તે સમયે પણ પ્રભુ સ્મરણ કરે. પવિત્ર વાતાવરણ રાખે.સંતાન પ્રાપ્તિ સિવાય મૈથુનની ઇચ્છા ન રાખે. મનમાં આદર્શવાદી ઉદ્દેશ્યની પૂર્તિ માટે ઇશ્વરને પ્રાર્થના કરતાં રહે તો તેની માનસિક છાપ બાળકના મન પર અંકિત થશે. ના
પ્રાચીન કાળથી જ શ્રેષ્ઠ ઇચ્છિત સંતાન માટે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવતા હતા. શ્રેષ્ઠ ફળ માટે શ્રેષ્ઠ બીજ જરૂરી છે. તેથી જ શ્રેષ્ઠ બીજ માટે બીજનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.
BIB LIFE
પ્રક્રિયાબીજના શુદ્ધિકરણ માટે ગર્ભાધાનનો શ્રેષ્ઠ દિવસ નક્કી કરી તેના ત્રણ મહિના પહેલાથી જ આયુર્વેદિક પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. આમાં વમન, વિરેચન, બસ્તિ, રક્તમોક્ષણ અને નસ્ય કરવામાં આવે છે. આ પંચકર્મ દ્વારા શારીરિક શુદ્ધિ થાય છે. ત્રણ મહિના સુધી સંપૂર્ણરૂપથી મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. આના દ્વારા બીજ અને ક્ષેત્ર વધુ શુદ્ધ બને છે. આ ત્રણ મહિનામાં
ucation international
For Personal & Private Use Only
www.jainelib