SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આશયોનું શુદ્ધિકરણ તમારા હેતુઓ સુસ્પષ્ટ હોવા જોઈએ. આંતરિક શાંતિ મેળવવા માટે ક્યારેય સ્વલક્ષી આશય ન રાખવા. દરેક માનવસહિત દરેક જીવોની સેવા કરવી અને સકલ જીવોને સુખ આપવું એ જ તમારો એકમાત્ર હેતુ હોવો જોઈએ. આમ ગર્ભધારણા પૂર્વે ઉત્તમ સંતાનની ઇચ્છા રાખનાર સ્ત્રી-પુરુષે ઘણી બધી વાતો ધ્યાનમાં રાખવાની હોય છે. સામાન્ય રીતે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે એક વર્ષ પહેલાથી તૈયારી કરવી પડે છે.શ્રેષ્ઠ સર્વોત્તમ સંતાન પ્રાપ્તિ માટે એક વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.બ્રહ્મચર્યના પાલનથી ઉત્તમ બીજ અને ઉત્તમ ક્ષેત્ર તૈયાર થાય છે. સંતાનમાં કેવા ગુણોનું સીંચન કરવું તેનો સંકલ્પ કરવો. પ્રત્યેક દંપતિ પર તેમના કુળ કે પેઢીની જવાબદારી હોય છે. તેથી જો તેઓ રોગમય સ્થિતિમાં ગર્ભાધાન કરે તો તેમનો રોગ આગળની પેઢીમાં ફેલાય છે માટે માતા પિતાએ પહેલા નિરોગી અવસ્થા પ્રાપ્ત કરવી. આમ ગર્ભાધાન પૂર્વે સ્ત્રી અને પુરુષે સજાગ રહેવું અત્યંત જરૂરી છે. ઉત્તમ પ્રકારના વૃક્ષો કેવી રીતે બનાવવા તે જાણીએ છીએ, પણ ઉત્તમ સંતાનનું નિર્માણ કેવી રીતે કરવું તે વિષે વિચાર જ કરવામાં નથી આવતો અને તેથી જ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવાની વિદ્યા જાણવી ખૂબ જ જરૂરી છે. બાળકના ચારિત્રનિર્માણનો પ્રારંભ ગર્ભાધાન પૂર્વે અર્થાત્ સ્ત્રી-પુરુષના સંકલ્પ સમયથી જ થઈ જાય છે. જે સમયે દંપતી સંકલ્પ કરે કે આપણને સંતાન જોઈએ છે તે જ સમયથી પ્રારંભ થાય છે. બાળકનો જન્મ ગર્ભાધાન સમયે નહી પણ માતા પિતાના સંકલ્પ સમયે થાય છે. ઉદા. ઉત્તમ મકાન બનાવવા માટે પહેલા સરસ નક્શો તૈયાર કરવો પડે છે અને પછી નક્શા પ્રમાણે ઉત્તમ ચૂનો, માટી કે પથ્થરનો વિચાર કરવામાં આવે છે, તેમ પહેલા કેવું બાળક જોઇએ છે તેના રૂપ ગુણ વિ.નો નક્શો તૈયાર કરીને શુદ્ધિકરણનો વિચાર પણ પહેલાથી જ કરવો જોઈએ. EB elit Jau siula non international For Personal & Private Use Only www ૧૪
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy