________________
8 S
શુધ્ધિ
છે
ગર્ભધારણા પૂર્વેની તૈયારી (Preconceptional care)
ગર્ભધારણા કરતાં પહેલા શુદ્ધિકરણ આવશ્યક છે. આ શુદ્ધિકરણ ચાર પ્રકારે થાય છે.
દેહશુદ્ધિઃ વિવિધ પ્રકારના વ્યસનો, રાજસિક અને તામસિક આહારનો ત્યાગ કરવો, ચા, કોફી વિ.નો પણ ત્યાગ કરવો, સાત્વિક આહાર ગ્રહણ કરવો, પર્યાપ્ત ઊંઘ લેવી, શુદ્ધ વાતાવરણમાં રહેવું, શુદ્ધ દેશીગાયનું વલોણાનું ઘી અને ગાયનું દૂધ લેવું તથા સ્વસ્થ આરોગ્ય માટે વિધિવત્ પ્રાચીન આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે પંચકર્મ કરાવવું.
વૈચારિક શુદ્ધિ સારી સત્ય વાણી બોલવી, સારા વિચારો કરવા, હકારાત્મક અભિગમ રાખવો. બધા જ પ્રત્યે પ્રેમભાવ રાખવો, આદર ભાવ રાખવો. આ કરવાથી તમે અવશ્ય આંતરિક સંવાદ સાધી શકશો..
모
ઇચ્છાઓનું શુદ્ધિકરણ તમારી ઇચ્છાઓને યોગ્ય ન્યાય આપવો અને જુઓ કે તમારી ઇચ્છાઓને કારણે કોઈ બીજાને ગેરલાભ કે નુકસાન તો નથી થતું ને? કારણકે જે ઇચ્છા માતાની હોય તે જ ઇચ્છા બાળકની ગર્ભમાં હોય છે. રાજાના દર્શનની ઇચ્છા થાય તો રાજા જેવા, મંદિરમાં પ્રભુના દર્શનની ઇચ્છા થાય તો દેવપુત્ર પ્રાપ્ત થાય છે, પણ આવી સારી ઇચ્છાઓનું શુદ્ધિકરણ ગર્ભધારણ પૂર્વે થવું આવશ્યક છે.વાર્થની ઇચ્છા એ મલિન ઇચ્છા છે અને પરમાર્થની ઇચ્છા એ શુભ ઇચ્છા છે.
2 eur
TOP
ternational
For Personal & Private Use Only
www.jaine
૧૩