________________
જ બીજ ઉત્પન્ન થશે,તેવા જ બીજમાંથી તેવા જ સંતાન ઉત્પન્ન થશે.શારીરિક અવસ્થા પણ તેવી જ થશે (નિરોગી અથવા રોગી અવસ્થા) અને તેની અસ૨ બાળકના પોષણ ઉપર થશે અને ગર્ભાવસ્થામાં અપાતા જ્ઞાન ઉપર તેની દઢ અસર થશે.
હવે સંકલ્પ કેવી રીતે કરશો તેની થોડીક માહિતી આપશું.નીચે કેટલાક પ્રશ્નો લખ્યા છે તેના ઉત્તર દરેક દંપતિએ લખવા આ સિવાય પણ જે ઉત્તમ વિચારો આવતા હોય તો તે પણ લખવા.
૧) મારે કેવું બાળક જોઇએ છે ?
૨) મારા બાળકનું શરીર કેવું હોવું જોઇએ ?
૩) મારા બાળકનું મન કેવું હોવું જોઇએ ?
૪) મારા બાળકનું હૃદય કેવું હોવું જોઇએ ? ૫)
T
મારે કેવા પિતા બનવું અને મારે કેવી માતા બનવું ? (સ્વભાવમાં) ૬) કૌટુંબિક વાતાવરણ કેવું રાખીશ ? (આનંદિત, પ્રફુલ્લિત વિ.) ૭) હું મારા બાળકને ગર્ભમાં કેવું શિક્ષણ આપીશ ?
૮) હું મારા બાળકને કેવા સંસ્કાર આપીશ ?
૯) કોઈ એક વ્યક્તિત્વને ધ્યાનમાં રાખી તેના જેવા રૂપ, રંગ અને ગુણનો વિચાર કરવો.
૧૦) અલગ અલગ ગુણ માટે અલગ અલગ વ્યક્તિ પણ ધારી શકાય.
તમારા બાળકનું સ્વરૂપ માનસિક વિચારો કેવા હોવા જોઈએ તેનું એક ચિત્રણ મનમાં કરી અને તેને કાગળ પર લખી મૂર્ત સ્વરૂપ આપો.
આ બધું ગર્ભધારણા પહેલાથી જ એટલે ત્રણેક મહિના પહેલાથી જ કરવું. ત્રણ મહિના બ્રહ્મચર્ય પાળવું અનિવાર્ય છે અને તે પણ શારીરિક, માનસિક અને વૈચારિક રીતે.
બસ તમે તમારી જાતને એકદમ સરળ બનાવી દો. કોઈ છળ, કપટ નહીં. છતાં પણ વિચારો ન આવે તો પ્રાર્થના,પ્રાણાયામ, ધ્યાન કરો અને એકાગ્ર ચિત્તે વિચારો.
ternational
For Personal & Private Use Only
www.jainelibra
સંસ્કાર શક્તિ