SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ - સ્વચ્છતાની સંતતિ ઉપર અસર • વડ ઋતુવંતી સ્ત્રીએ ઋતુસ્નાન કર્યા પછી (સ્વભાવ, સંભાષણ, ભોજન, ગમન આદિ) પથ્ય આહાર વિહાર કરવો અને ઉત્તમ વિચાર રાખવો. તે એવી રીતે કેઃ- જેવી સંતતિ કરવી હોય તેવો સંકલ્પ કરી મનપસંદ દૂધ, ભાત, સાકર, કેળાં વગેરે ચીજોનો સાત્ત્વિક ખોરાક લેવો. તેમાં દૂધ પણ ઉત્તમ શોભાયમાન સફેદ વાછડાવાળી ધોળીગાયનું લેવું. ઋતુવંતીને રહેવાનું મકાન પણ સ્વચ્છ અને મનોહ૨ તથા બિછાનું પણ તેવું જ આનંદદાયક જોઈએ. દાગીના પણ સુંદર સોના ના હોવા જોઇએ, તેમ જ ઊઠવા બેસવાના વાહનો-સાધનો એ બધાં સ્વચ્છ અને મનપસંદ હોવાં જોઈએ. પશુ-પક્ષી,માનવ તથા જીવમાત્ર તરફ નજર કરતાં હૃદય પ્રફુલ્લિત થવું જોઈએ. સુંદર તેમ જ મધુર ભાષણ કરવું અને સભ્યતાયુક્ત ધીરવીર, સ્વદેશભક્ત - સ્વદેશાભિમાની અને સત્પુરુષ મહાત્માઓનાં વૃત્તાન્તો વાંચવા તથા શ્રવણ કરવાં. બે અને આ બધી જ અમેરિકાનો પ્રસિદ્ધ ડૉક્ટર હિરાલ જણાવે છે કે ઇંગ્લેંડમાં એક મેડમ હંમેશાં એક હબસીની તસવીર તરફ જ નજર જોડી રાખતી હતી, એથી અંતે તેનો ગર્ભકાળ થતાં હબસીના જેવો જ પુત્ર થયો.’’ ભારતવર્ષની વૃદ્ધ સ્ત્રીઓ પણ ઘણું કરીને ઋતુવતીને ઋતુસ્નાન કરાવે છે, ત્યારે તેણીના ખોળામાં પહેલાં સુંદર શોભાયમાન પુત્ર (પુત્રીની ઇચ્છાવાળી માટે પુત્રી) બેસાડે છે. તેનું પ્રયોજન પણ તે જ છે. ઘરને ઉત્તમ પવિત્ર અને શુદ્ધ બનાવવું. સ્ત્રી-પુરુષે માનસિક રીતે તૈયાર થવું. • શારીરિક, માનસિક અને વૈચારિક શુદ્ધિ ક૨વી. આપણું સંતાન કેવું થવું જોઈએ તેનો સંકલ્પ કરવો. International Abis For Personal & Private Use Only Jeep ish Agrit Chappa fi 나무]ᅵᄅ 리도라 www.jainelibrary.om
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy