________________
માનસિક ભાવનાનો પ્રભાવ
સંતતિ ઉપર માનસિક ભાવોની અસર એકલા મનુષ્યો માટે જ થાય છે એમ નથી, પણ પશુ ઉપર પણ મનોભાવનો પ્રભાવ અસર કરે છે. આપણા દેશના અને આરબના ઇતિહાસો પણ એ વાતની પૂર્ણ પ્રતીતિ આપી રહ્યા છે.
આપણા દેશમાં ઉત્તમ જાતની ઘોડીને સગર્ભા કરાવતી વખતે આંખો પર પાટા બાંધી પછી કોઈ ટાયડા ટુથી સમાગમ કરાવી તેને દૂર કરી સારા પ્રૌઢ. ઘોડાને આગળ ઊભો રાખી, ઘોડીની આંખો પરના પાટા છોડી દેવાનો રિવાજ પ્રચલિત છે. તેનું કારણ પણ એજ કે તે ઘોડીની આંખો ખુલ્લી થતાં જ તે પ્રોઢ ઘોડાને દેખે છે, જેથી તેણીના મનમાં તેના જ સમાગમની સુરતા બંધાય છે અને તે સુરતાની અસરથી તેણે જોયેલા વાલી ઘોડાની અસર જેવા વછેરાને તે ઘોડી જન્મ આપે છે.
આરબોના ઇતિહાસમાં લખેલ છે કે ઈસહાક સાથે તેના મામા અને કાકા લુબાએ પોતાની નાની દિકરી રાહીલનો નિકાહ પઢાવવાનું મુકરર કરેલ હતું, પણ એવી શરત કરવામાં આવી હતી કે “તું બાર વર્ષ સુધી બકરીઓને ચરાવ્યા કર, દરમિયાન તે બકરીઓથી પેદા થનારાં બચ્ચાં જેટલા કાબરાં રંગના થશે તેટલાં તને વિવાહની વખતે આપવામાં આવશે.” આવું સાંભળી ઈસહાકે તે વાત કબૂલ કરી અને ઇચ્છાશક્તિપૂર્ણસંકલ્પબળ માહાસ્ય તેના જાણવામાં હતું, તેના બળે જે જે બકરી સંયોગવતી જણાતી તે તે બકરીની આંખો ઉપર પાટા બાંધી લેવાનો પ્રયોગ શરૂ રાખ્યો અને જ્યારે સંયોગ પૂર્ણ થાય, ત્યારે કાબરચિતરો બકરો તેણીની પાસે ખડો કરી પછી આંખો પરથી પાટા છોડી લેવાનો ક્રમ જાળવ્યો, જેથી અન્ય રંગના બકરા સાથે સંયોગ થયા છતાં પણ કાબરચિતરો બકરો નજરે જોવાથી મન પર થયેલી તેજ રંગની અસરથી તે બકરીઓને કાબરચિતરા રંગના જ બચ્ચાં થયાં અને બાર વર્ષ પૂર્ણ થતાં સંખ્યાબંધ કાબરચિતરાં બકરા બકરીઓ થતાં લગ્ન વખતે તે બધાને પોતાએ સ્વાધીન કર્યા.
મન સંકલ્પની અસર ગર્ભ પર થાય છે એ કહેવાનું મુખ્ય પ્રયોજન એ જ છે કે ગર્ભાવસ્થામાં માતાના મનમાં જેવા જેવા સારા કે ખરાબ) વિચાર થાય તેવી તેવી (સારી કે માઠી) અસર થવાથી તેવા જ વિચારોમય બાળકો પેદા થાય છે. માટે ઉત્તમ બાળકોની આશા રાખનારી સન્નારીઓએ ઊંચા પ્રકારના વિચારો, તથા સત્કૃત્યો કરવાં કે જેથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય.
શક્ષિા
Tauonar
For Personal & Private Use Only
WWW.jaine
-