SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર શક્તિ આયુર્વેદમાં રસાયણ ગુણવાળી ઔષધિઓ બનાવવામાં આવે છે. તેના ૫૨ કેટલા બધા સંસ્કા૨ ક૨વામાં આવે છે ? તાંબુ, લોહ, સોનુ જેવી સામાન્ય ધાતુઓ વિધિવત્ સંસ્કાર કર્યા પછી તેઓ ચમત્કારિક ગુણોવાળી થઈ જાય છે. એ જ રીતે મનુષ્યો ૫૨ આધ્યાત્મિક ઉપચારો દ્વારા સુસંસ્કૃત બનાવવાની પદ્ધતિ આપણા પૂર્વાચાર્યોએ વિકસિત કરી હતી. માનવજીવનમાં ગર્ભાધાનથી માંડી મરણ સુધીની વિવિધ અવસ્થાઓમાં જે ધાર્મિક વિધિઓ સંસ્કારના નામથી થાય છે તેમનો ઉદ્દેશ માનવજીવનને સુસંસ્કૃત બનાવી તેને આધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જવાનો છે. ભારતીય મહર્ષિઓએ કેટલાક એવા સૂક્ષ્મ ઉપચારોની શોધ કરી છે કે જેમનો પ્રભાવ શરીર તથા મન પર જ નહિ, પરંતુ સૂક્ષ્મ અંતઃક૨ણ પ૨ પણ પડે છે અને એમના પ્રભાવથી મનુષ્યોને ગુણ, કર્મ અથવા સ્વભાવની દૃષ્ટિએ ઉચ્ચસ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે. પ્રાચીનકાળનું રસાયણ એટલે સોળ સંસ્કાર. આ સંસ્કાર દ્વારા એક આધ્યાત્મિક રસાયણ બનાવવામાં આવતું હતું. તેથી આત્મા માનવદેહમાં રહેવા છતાં દેવોની કક્ષાનો બની જતો હતો. ભારતવર્ષમાં અનેક સારી પ્રવૃત્તિઓને બળ મળ્યું હોય તો તેમાં સોળ સંસ્કાર કારણભૂત છે. સંસ્કા૨ોમાં જે વિધિ વિધાન છે એમનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ મનુષ્યને સન્માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડે છે. પરિવારને સંસ્કારવાન બનાવવાની, કૌટુંબિક જીવનને સુવિકસિત બનાવવાની એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એ વખતે જે પ્રતિજ્ઞાઓ કરવામાં આવે છે તેનો સૂક્ષ્મ પ્રભાવ મન પ૨ પડે છે અને તેની અસર એટલી બધી ઊંડી અને પરિપક્વ હોય છે કે તેનો પ્રભાવ આજીવન રહે છે. સંસ્કારવિધિ નિશ્ચિતરૂપે એક વૈજ્ઞાનિક તથા પ્રત્યક્ષ પ્રભાવ દેખાડનારી વિધિ છે, પરંતુ તેની સાબિતી ભૌતિક વિજ્ઞાનીઓ દ્વારા નહિ, પરંતુ આધ્યાત્મિક લાભો, સામાજિક સત્પરિણામો તથા મનોવૈજ્ઞાનિક તથ્યો દ્વારા જ સમજવી જોઈએ. તે પુત્ર કે પુત્રી સુંદર, સ્વસ્થ, બુદ્ધિશાળી, શક્તિશાળી અને દીર્ઘાયુ થાય તે વાતનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. સંતતિ સત્પાત્ર નીવડે, કુળદીપક થાય અને દેશની કીર્તિને દીપાવે તેટલી હદે તેને સમર્થ અને સંપૂર્ણ બનાવવા ઇચ્છનાર માટે આ વિષય ઘણો ઉપયોગી થઈ પડશે. સુંદર,સબળ, સંસ્કારી અને તન-મનના વિકાસવાળા મનુષ્યરત્ન ઉત્પન્ન થાય તે માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only પ International www.jaine
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy