SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દરમિયાન જ તૈયાર થાય છે. શ્રી તંદુલ વેયાલિય પન્ના તથા શ્રી ભગવતીજી સૂત્ર આગમ ગ્રંથમાં વિધાન મળે છે કે પંદર કર્મભૂમિના ગર્ભ જ મનુષ્યને દસ પ્રાણ અને દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર હોય છે. તો વિકાસના આ ઉત્તમોત્તમ સમયે ગર્ભકાળમાં જ જો બાળકને સર્વોત્તમ સંસ્કારબીજ સહિત ઉછેરાય, તો અહિંસા, અપરિગ્રહ, અનેકાંત સ્યાદ્વાદ તથા ક્ષમાપના રૂપી ચાર મુખ્ય સિદ્ધાંતોનાં નીરથી તેનું સિંચન સુફળદાયી નીવડે. મંગલ માતૃભવનની એક પરિકલ્પના છે મનોભૂમિમાં, તે આજે શાશ્વતીના વહેણમાં તરાપા રૂપે વહેતી મૂકું છું. શ્રી અરિહંતોની કૃપાછાયા તળે તેમજ શ્રમણ ભગવંતોની નિશ્રા હેઠળ આ માતૃભવન ની કાર્યપ્રણાલીગોઠવાય. જ્યારથી માતાના ગર્ભમાં બીજક રોપાયાની જાણ થાય ત્યારથી જ તે દંપતી ૧૦ માસ માટે સજોડે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે તો તે ગર્ભ ઘણો જ ભાગ્યશાળી, બળવાન, સ્વરૂપવાન તથા ન્યાયનીતિવાન ને યશસ્વી નીવડે છે તે શાસ્ત્રોક્ત વાતની જાણ આવા દંપતીને માતૃભવનમાં રહેલ એક કાઉન્સેલિંગ સેલ દ્વારા થાય. In fact, ગર્ભ ધારણ કરવા ઇચ્છતા દંપતિ પોતાના આયોજન પૂર્વે જ આશરે ૧૦૦ દિવસ પહેલેથી જ માતૃભવન સંગે જોડાઈ જાય અને પોતાના મનોહૃદયમાં એક ભાવાવરણ ઊભું કરે. ન શકે. કાઉન્સેલિંગ દરમિયાન શ્રમણ ભગવંતો દ્વારા તેમનાં મનના વિચારો, વચનની ઉપયોગિતા તથા રોજિંદા કાર્યો ઉપર વિશિષ્ઠ અને સમ્યક જ દૃષ્ટિ ઊભી કરાવવામાં આવે. ગર્ભાવાસના કાળ દરમિયાન માતાનાં હલનચલન, કુપથ્થસેવન તથા વિષયકષાયોના આવિર્ભાવથી કઈ રીતે બાળકનાં આંતર on International For Personal & Private Use Only www.ja ૧૨૫.
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy