________________
વિદ્યુતશાસ્ત્ર પારંગત સુપ્રસિદ્ધ મી. એડીસને સત્તર વર્ષની ઉંમરે પોતાના માના મનોબળ સંસ્કારવડે પોતાની મેળે કામ કરતાં તારના એક યંત્રની શોધ કરી હતી જર્મનના લ્યુબેક શરેરમાં ક્રિશ્ચિયન હેઇને કે જે એક જ વર્ષની ઉંમરમાં જ પોતાની માના સંકલ્પ બળવડે વાંચવા માંડ્યું હતું અને ત્રણ વર્ષનો થતાં પહેલા તેણે લખવું શરૂ કર્યું હતું બેરેટીયર નામનો પ્રખ્યાત ભાષાશાસ્ત્રી પોતાની માના ઉત્તમ સંસ્કાર સંકલ્પથી પાંચ વર્ષની જ ઉંમર થતાં પહેલાં ફ્રેંચ, લેટીન અને જર્મની ભાષા બોલી શકતો હતો અને દશ વર્ષનો થતાં પહેલાં તેણે હીબ્રુ ભાષાનો એક કોષ રચ્યો હતો. જેમ્સક્રીસ્ટન નામનો પ્રસિદ્ધ બુદ્ધિશાળી વીશ વર્ષની ઉંમરે પહોંચતા સર્વ વિદ્યાકળામાં નિપુણ નીવડયો હતો, તેમ જ દશ જાતની ભાષાઓમાં ઘણી જ સરલતાથી લખતો વાંચતો હતો અને સંગીત વાદ્ય, અશ્વારોહણ કળામાં પણ પૂર્ણ કુશળ હતો.. યુરોપના સેન્ડોને હરાવનાર પ્રખ્યાત ઇંડિયન સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ કે જે કળિયુગનો ભીમ કહેવાયો છે, તે માતાના સંકલ્પ બળવડે યુવાન વયમાં મહાન પરાક્રમ બતાવી વિશ્વવિદિત થયો છે. ગ્વાલીયર સ્ટેટની અંદર બાબુ તોતારામ ગૃહસ્થ સારા હોદ્દેદાર છે તેમના પુત્રશંકરાનંદ માતાપિતાના જબરજસ્ત સંકલ્પબળથી ફક્ત ચાર વર્ષની ઉમરના થતાં વાલ્મીકી રામાયણના સંસ્કૃત શ્લોકો મધુર સ્વરે ગાવા લાગ્યો - અને આઠ વર્ષનો થતાં પ્રમાણભૂત ગણાતા મોટા મોટા લેખકોના પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરવા માંડ્યો અને તેર વર્ષનો થતાં તે પંજાબની યુનિવર્સીટીની સંસ્કૃત ભાષાની એમ. એ. ની પરીક્ષામાં પાસ થયો. જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી કાળીદાસ ગોવિંદજી તેમ જ ગઠ્ઠલાલજીએ ફકત ૮-૧૦ વર્ષની ઉંમરમાં જ અષ્ટાધ્યાયી કંઠસ્થ કરી વિદ્વાનોને આનંદ આપ્યો હતો.
BE EIFE
Jain Foucation International
For Personal & Private Use Only
૧૧૨