________________
પંજાબની અંદર ગુરુ તેગબહાદુર કે જે હિંદુધર્મના રક્ષણકર્તા તરીકે વિશ્વવિખ્યાત થયેલ છે. એટલું જ નહિ, પણ ધર્મરક્ષણાર્થે મહાન કષ્ટ સહન કરી તેમણે છેવટે પોતાના પ્રાણની આહૂતી આપી હતી. એ નરરત્ન જ્યારે માતાના ગર્ભમાં હતો, ત્યારે તેમના પિતાએ પટનામાં સગર્ભા દેવીને છોડી જવા ધાર્યું, તે વખતે કહ્યું હતું કે “પ્રિયા ! તમને સાથે લઈ ચાલવાથી બહુ તકલીફ પડશે; કેમ કે. પ્રસૂતિ સમય
નજીક આવેલો છે અને તે થનાર પુત્ર મહાન વીર નીવડી શત્રુઓનો સંગ્રામમાં પરાય કરી, અધર્મનો અંત લાવી સ્વધર્મનો પ્રકાશ કરશે. માટે અહીં રહી તેની આબાદી જાળવો.” આખર થયું પણ તેમ જ. એ ગુરુએ ધર્મરક્ષણાર્થે આતમ આત્મબલિદાન આપ્યું. એ બધું માતા પિતાની સાચી શ્રદ્ધાનું જ પ્રત્યક્ષ પ્રમાણ છે.
ઇતિહાસ પરથી વિદિત હશે કે નેપોલીયન બોના પાર્ટ મહાનું વીર શાથી નીવડ્યો હતો? તેનો બાપ સાધારણ સેનાનો સેનાધિપતિ હતો. તેની માતા સગર્ભા છતાં ઘોડે ચડી લડાઈઓમાં જતી હતી. તેનો બાપ સગર્ભા પાસે લડાઈઓનાં ચરિત્ર કહી વીરત્વની અસરને કાયમ કરતો હતો અને તે જ વિચારો ગર્ભમાંના બાળકમાં દાખલ થવાથી તથા તેવું જ શિક્ષણ મળવાથી તે == પુત્ર વીરશિરોમણિ નીવડ્યો.
PS 13 215212
અભિમન્યુ સાત ચક્રાવાનું જ્ઞાન ગર્ભમાં જ મળ્યું હતું. ટૂંકમાં એટલું જ કે ગર્ભ રહેવા વખતે તથા ગર્ભકાળ વખતે માતા સ્વદેશાભિમાની વીરોના તથા
ભક્તોનાં કે તત્વજ્ઞોના વૃત્તાંતો ધ્યાન સહિત સાંભળી મનન કરે, તે તે વૃત્તાન્તોને લગતી કાર્ય કરનાર સંતતિ પેદા થાય છે. તેમ
જ જે કળામાં સગર્ભા શોખ રાખે અથવા પોતાના સંતાનને જે કળામાં નિપુણ બનાવવું હોય તે તે કળા પર શોખ રાખે તો અવશ્ય તે જ કળામાં સંતાન પણ અતિ નિપુણ નીવડે છે.
International
For Personal & Private Use Only
www.jain that are
૧૦૭