________________
છે.
કૃષ્ણ મહારાજ જ્યારે ગર્ભમાં હતા, ત્યારે વસુદેવજીએ અને દેવકીજીએ સંકલ્પ કરી સંસ્કાર આપ્યો હતો કે “કંસે મારા છ બાળકો માર્યા છે, પણ આ બાળ બચી કંસનોમદ ઉતારે તેવો થાઓ; કારણ કે અઇમત્તા મુનીએ કંસપત્ની જીવયશા ને મદ ઉતારવા કહેલું હતું કે જેને તું રમાડે છે તેનો જ સાતમો ગર્ભ તારા ધણીનો નાશ કરનાર થશે. એ સંકલ્પ સંસ્કારથી તેમ જ થયું હતું.
અકબરની માતા એ અકબર ગર્ભમાં હતો તે વખતે પોતાની જાંઘ (સાથળ) ઉપરયુક્તિવડે એક સુંદર ફૂલ કોતરી લીધું. એ વખતે બાદશાહ હુમાયૂ આવ્યો અને બેગમને પૂછ્યું કે, કે “આ કરે છે?” તેણીએ જવાબ આપ્યો કે “મેં મારા પગ ઉપર આ સુંદર ફૂલ એ માટે બનાવ્યું છે કે – જે મારે પુત્ર થશે તેને પણ આ જગાએ જ ફૂલ (આવું જ) થશે.” અને થયું પણ તેમ જ; કે જ્યારે અકબર જભ્યો ત્યારે તે જગોએ તેવું જ ફૂલ જોવામાં આવ્યું હતું.
શૂરવીર શિવાજી મહારાજનું જીવન પણ આ વાતની જ સાક્ષી આપી રહેલ છે. શિવાજીના પિતા શાહુરાજા તરૂણાવસ્થાના પ્રારંભથી જ મોટી મોટી લડાઈઓમાં જોડાયો હતો, તે વખતે તેમની રાણી પણ સાથે જ રહી
મહાન યુદ્ધોમાં ભાગ લઈને અનેક સંકટો સહન કરી સુદઢ બની હતી. એ વખતે શિવાજી ગર્ભ માં હતા, તે પ્રસંગે પણ રાણી વીરતા-ધીરતા અને
સહનશીલતાયુક્ત ગર્ભનું પાલન કરતાં એક લડાઈની અંદર કેદમાં પકડાયાં હતા, તે વીરમાતા હંમેશાં પ્રાર્થના કરતી હતી કે, ‘મારો પુત્ર શૂરવીર, સંગ્રામમાં વિજયવંત નીવડી, સ્વદેશ અને સ્વધર્મનું સંરક્ષણ કરી મારા શત્રુએ આપેલા કષ્ટનો વૈરથી બદલો લઈ શાંતિ કરો.” થોડા વખત પછી શિવાજીનો જન્મ થયો અને મોટો થતાં તે સંકલ્પબળના પ્રભાવથી મહાન વીર બની અડગ, સ્વદેશ-સ્વધર્મ રક્ષક, રિપુસંહારક નીવડી તેણે પોતાનું હિંદના ઇતિહાસ પત્રમાં સુવર્ણના અક્ષરોથી અમરનામ કર્યું.
1518 215212
Jain Educatios International
For Personal & Private Use Only
www
www gok
RD)