SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दं संचर मन्दमेव निगद व्यामुञ्च कोपक्रम। पथ्यं भुङक्ष्व बधान नीविमनधां मा माऽट्टहासं कृथा।। आकाशे भव मा सुशेष्व शयने नीचैर्बहिर्गच्छ मा। देवी गर्भभराऽलसा निजसखीवर्गेण सा शिक्ष्यते।। વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલા ક્ષત્રિયાણીને શિખામણ આપવા લાગ્યા કે હે સખી તું હમણાં ધીરે ધીરે ચાલજે, બહુ બોલે તો પણ ધીમેથી, કોઈ ઉપર ક્રોધ ન કરતી, પથ્ય ભોજન લેજે, પેટ પરની નાડી પોચી બાંધજે, ખડખડ હસીશ નહીં. ખુલ્લી જગ્યામાં બહુ ફરીશ નહિ, કોમળ પથારીમાં બને ત્યાં સુધી પડી રહેજે. નીચી જગ્યામાં ઉતરવાનું સાહસ કરતી નહિ, ઘરની બહાર પગ મુકીશ નહીં. આમ ગર્ભના ભારથી મંદ થયેલા ત્રિશલા રાણી પણ પોતાની સહિયરોની શિખામણને પણ માન આપતા રહ્યાં. આમ ત્રિશલારાણી ગર્ભને હિતકારી થાય તેવો, નહિ વધારે, નહિ ઓછો, ગર્ભને પોષણ આપનારો પથ્ય આહાર લેવા લાગ્યા. જે કાળમાં જોઈએ તેવો આહાર પરિમાણપણે લેવા લાગ્યાં, સુવા બેસવાના આસન પણ નિર્દોષ અને સુકોમળ જ રાખ્યાં. પોતાના પરિવાર સિવાય બીજા કોઈ માણસોની અવરજવર ન હોય તેવા એકાંત, સુખકર મનોહર અને ચિત્તને આનંદ ઉપજાવે એવાં સ્થાનમાં રહેવા લાગ્યાં. તેમની હાલવા ચાલવાની અને ઉઠવા બેસવાની ક્રિયા પણ બહુ જ મૃદુતાભરી થવા લાગી. સંસ્કાર શક્તિ Jain - -romersuravate ose my ૧૦૪
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy