________________
વિશેષ નોંધ
આદિમત્ર: ગુરપ્રસાવિ – ગુરુની કૃપાથી. સરખાવે –
-
*
गुरपरसादी पाइआ जाइ ।
हरि सिउ चितु लागै फिरि कालु न खांई ॥
– ગુરુની કૃપાથી (પરમાત્મા) મળી શકે; અને એક વાર હરિમાં ચિત્ત લાગ્યું કે પછી કાળ તેને ખાઈ શકતા નથી. (રાગ ધનસરી, મ૦ ૧, ૨-૪-હાઉ) गुरपरसादी उबरे सचा नामु समालि ।
– (હે ભાઈ, જગત મટી જાળમાં ફસાયું છે) તેમાંથી ગુરુની કૃપાથી સત્ય (પરમાત્માના) નામનું સ્મરણ કરીને જ ઊગરી શકાય. (રાગ મારૂ, મ૦ ૧, ૨-૨હાઉ) गुरपरसादी करहु किरपा लेहु जमहु उबारे ।
– ગુરુની કૃપાથી (હે પરમાત્મા) દયા કરો અને જમના હાથમાંથી ઉગારી લેા. (રાગ વડહંસ, મ૦ ૧, ૨-૫)
अहिनिसि हरि जसु गुरंपरसादि ।
– ગુરુની કૃપાથી રાતદિવસ હરિના ગુણ ગવાય. (રાગ આસા, મ૦ ૧,
(-2)
मनि ततु अविगतु धिआइआ गुरपरसादी पाइआ ।
– મનમાં નિરંકાર પરમાત્માનું ધ્યાન ધર્યું અને ગુરુની કૃપાથી તેમને પામ્યા. (રાગ ગૂજરી, અષ્ટપદી, મ૦ ૧, ૧–૬)
આદિમંત્ર : જ્ઞપુ – નામનો જપ કરો.
એક કાર પરમાત્માના જપ કરો એટલે કે તેમના નામના જપ કરો, એવા અર્થ લેવાના છે. ગુરુનો માર્ગ નામના જપના માર્ગ હાવાથી, તેમની વાણીમાં ‘નામ’ના ઉલ્લેખ વિના ‘જપ કરો' એટલું પણ ઠેરઠેર આવે છે. જેમકે —
हरि जपु जपि रिदै धिआई हे ।
– પરમાત્માના નામના જપ કરો અને જપીને પરમાત્માનું હૃદયમાં ધ્યાન ધરો. [મારૂ, મ૦ ૧ (પૃ૦ ૧૦૨૫) ૬-૫]
बिनु गुरु पारु न पावै कोई, हरि जपीऐ पारि उतारा हे । –વિના ગુરુ કોઈ પાર ન પામી શકે; (તેમના આપેલા) પરમાત્માના નામના જપ કરીને પાર ઊતરી જવાય. [મારૂ, મ૦ ૧ (પૃ૦ ૧૦૩૦) ૪-૧૦-૧૧] धरि रहु रे मन मुगध इआने ।
राम जपहु अंतरगति धिआने ॥
– હે મૂર્ખ અણસમજુ મન ! તું (બહાર ભટકવાને બદલે) ઘરમાં જ (ઠેકાણે) રહે, અને અંતર્મુખ થઈ ધ્યાનપૂર્વક રામનું નામ જપ. (મારૂ, મ૦ ૧, પૃ૦ ૧૦૩૦; ૪-૧૦-૧)
પરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org