SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 70 કેમ કરી રહ્યો છે? તું જા..... અને તારા સ્વામીને કહેજે- “હે પ્રમત્ત રાક્ષસ ! ધિક્કાર છે તને, જો ધૈર્ય હોય તો આવ, યુદ્ધ કર. હું લક્ષ્મણ તને યમલોક મોકલવા માટે ઉત્સુક છું. હે કાપુરૂષ! શું રામ-લક્ષ્મણના અતુલ પરાક્રમે તારા અંતર્મનમાં એટલો ભય ઉત્પન્ન કર્યો છે કે હવે તું યુદ્ધવિરામ કરવા માટે વિવશ થઈ ગયો છે?' દૂતે આવીને સમસ્ત વૃત્તાંત કહ્યા બાદ રાવણે ફરીથી પોતાના મંત્રીઓની સાથે વિચાર-વિમર્શ કર્યો. તેઓએ ફરીથી રાવણને કહ્યું- “જો તમે સીતાજીને મુક્ત નહિ કરો, તો તમારો તથા સમસ્ત રાક્ષસકુળનો વિનાશ નિશ્ચિત છે.” નિરાશ થઈને રાવણે બહુરૂપિણી વિદ્યાની સાધના કરવાનો નિર્ણય લીધો. જિનાલયમાં જઈને તેણે શ્રી શાંતિનાથ ભગવાનની અનેકાનેક ભાવવાહી સ્તુતિઓ દ્વારા પ્રાર્થના કરી. પછી તે એક રત્નશિલા પર બહુરૂપિણી વિદ્યાની સાધના માટે હાથમાં અક્ષમાળા લઈને બેઠો. મંદોદરીએ યમ નામના રાક્ષસ દ્વારા ઘોષણા કરાવી- ‘‘આજથી બે દિવસ સમસ્ત લંકાવાસી ધર્મસાધનામાં લીન રહે, એવી રાજાની આજ્ઞા છે. જો કોઈ આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે, તો તેને મૃત્યુ-દંડ આપવામાં આવશે.” ગુપ્તચરે આ ઘોષણાનોવૃત્તાંત સુગ્રીવને સંભળાવ્યો. સુગ્રીવે ત્વરિત રામચંદ્રજીને કહ્યું- “હે કૌશલ્યાનંદન ! જ્યાં સુધી રાવણને બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થઈ નથી, ત્યાં સુધી તેનો પ્રતિકાર કરવો શક્ય છે. સાધના સિદ્ધ થયા પછી આપણો વિજય અશક્ય છે. તેથી તેની સાધનામાં અવરોધ નિર્માણ કરવો આવશ્યક છે. - “શઠં પ્રતિ શાર્ચ'' એટલે કે લુચ્ચાની પ્રત્યે લુચ્ચાઈ કરવી જ આપણા માટે યોગ્ય છે.’’ પરંતુ રામચંદ્રજીએ કહ્યું- “રાવણ કુટિલ છે.... કુટિલતા તેનો સ્વભાવ છે, મારો નહિ. તેની સાધનામાં અવરોધ ઉભો કરવાની મારી ઇચ્છા નથી.'' કિરી R રાવણ દ્વારા બહુરૂપિણી વિદ્યાની સાધના | રામચંદ્રજીનું આ વચન સાંભળીને અંગદ આદિ સુભટ ગુપ્તરૂપથી રાવણના સાધના સ્થાન પર પહોંચ્યા. ત્યાં પહોચતાં જ અંગદ બોલ્યો હે રાવણ! શુંરામના શૌર્યથી તું એટલો ગભરાઈ ગયો છે કે આવું પાખંડ કરવા માટે વિવશ થયો. અરે દુષ્ટ ! રામપત્ની સતી સીતાનું તે પરોક્ષ રીતે અપહરણ કર્યું છે. હવે હું તારી પત્નીનું અપહરણ તારી ઉપસ્થિતિમાં જ કરી રહ્યો છું. તારામાં સામર્થ્ય હોય, તો મને પરાજિત કર.” એમ કહીને તે મંદોદરીનો કેશ-કલાપ ખેચી તેને ઘસડવા લાગ્યો. મંદોદરી કરુણ રુદન કરવા લાગી. પરંતુ રાવણ પોતાની સાધનામાં એટલો મગ્ન થઈ ગયો હતો કે તેણે પોતાનું માથું પણ ઉંચું ન કર્યું Ja International Sersonal Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy