________________
હનુમાને આશાલિકા વિદ્યાના મુખમાં કરેલો પ્રવેશ
પોતાના વંશનો નાશ ન થાય, તે માટે બિભીષણે કિલ્લાની ઉપર આશાલિકા નામની વિદ્યાની સ્થાપના કરી હતી. તે કાળ રાત્રિ જેવી ભયંકર અને તેની ચારે બાજુએ આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી. ભયંકર ઝેરીલા સાપોની માફક ફંફાડા મારતી તે શક્તિ હંમેશા પોતાનું મોટું ફાડીને જ ઉભી રહેતી હતી. ત્યાં આવનાર કોઈ પણ માણસને નગરીમાંતે પેસવા દેતી નહોતી. જો ભૂલેચૂકે કોઈનગરીમાં દાખલ થવાનો પ્રયત્ન કરે, તો તેને તે ખાઈ જતી. લંકાની હદ ઉપર હનુમાનને તેનો ભેટો થઈ ગયો. તે આશાલિકા નામની મહાશક્તિએ હનુમાનજીને કહ્યું- “હે વાનર ! તું ક્યાં જાય છે ? હું બહુ ભૂખી છું. તારા નસીબે તને મારો ભક્ષ્ય બનવા માટે તો અહીં મોકલ્યો નથી ને ?'' આવા મહેણાં ટોણાં વાળા શબ્દો બોલતી પેલી વિદ્યાએ જ્યારે પોતાનું ભયંકર મોટું ખોલ્યું, ત્યારે હનુમાનજીએ, પોતાની ગદા સાથે તેના મોઢામાં દાખલ થયા. જેવી રીતે ઘનઘોર કાળાં વાદળાઓમાંથી પ્રકાશિત સૂર્યકિરણો બહાર નીકળે, તેવી રીતે તેનું પેટ ફાડીને હનુમાનજીએ તે મહાભયંકર વિદ્યાશક્તિનો નાશ કર્યો.
Jalan
For Personal & Private Use Only
www.jainelibrary.org