________________
રામે પૂછ્યું- “જીતવાની કે હારવાની વાત બાજુ પર રાખો, ફક્ત એટલું જ કહો કે લંકા ક્યાં આવેલી છે ? બાકી રાવણ સહિત તેની પૂરી સેનાને હરાવવા માટે એકલો મારો ભાઈ લક્ષ્મણ સમર્થ છે. તે એકલો જ સીતાને છોડાવી લાવવાનું બળ ધરાવે છે.” તરત જ લક્ષ્મણ બોલ્યો- “કોણ છે એ રાવણ જેણે શિયાળની માફક કપટ કર્યું છે? ક્યાં છે એ રાવણ, જેણે ક્ષત્રિય ધર્મને કલંકિત કર્યો છે ? હું તેનું મસ્તક કાપીને ક્ષત્રિય ધર્મને ફરીથી ઉજજવળ કરીશ, ત્યારે જ મને શાંતિ થશે”
જાંબવાનજીએ લક્ષ્મણને કહ્યું. “જો કે આપ એકલા જ આ કાર્ય કરવા માટે સમર્થ છો, પરંતુ અનંતવીર્ય મુનિએ અમને જણાવ્યું છે કે જે કોઈ મહાનુભાવ કોટિશિલાને ઉપાડશે, તે જ રાવણને મારી શકશે. એ મુજબ આપ અમારી સાથે ચાલી કોટીશિલા ઉપાડીને અમને ખાત્રી કરાવો.” જાંબુવાનજીની વાત લક્ષ્મણે કબૂલ કરી. તેઓ આકાશમાર્ગે કોટીશિલાની નજીક લક્ષ્મણને લઈ આવ્યા. લક્ષ્મણે એક ઢેફાંની માફક કોટીશિલાને પોતાના હાથે ઉપાડી લીધી. જાંબવાનજી ત્યાંથી પાછા લક્ષ્મણ સહિત કિષ્કિધાપુરી આવ્યા.
शुचित्वं त्यागिता शौर्यं सामान्यं सुखदुःखयोः ।
दाक्षिण्यं चानुरक्तिश्च सत्यता च सुहबद्गुणाः ।। અર્થાત્ પવિત્રતા, ત્યાગ, શૌર્ય, સમતા, દાક્ષિણ્યતા, અનુરાગ, સત્યપણુ આ સુમિત્રના ગુણો છે. હનુમાનજીમાં આ બધા ગુણો એક સાથે સમાયેલા છે. સીતાજીની શોધ કરવા માટે તે સર્વશ્રેષ્ઠ છે. તેથી આપ એમને જ લંકા જવાનો આદેશ કરો.” હનુમાનજીએ જવાબ આપતાં કહ્યું – “હું તો એક સામાન્ય માનવ છું, પરંતુ કપિરાજ સુગ્રીવને મારા ઉપર ગાઢ સ્નેહ છે. તેથી તેઓ કારણ વગર મારા વખાણ કરે છે. તેમના લશ્કરમાં મારા જેવા નહિ, પણ મારાથી વધુ શક્તિશાળી હજારો ચુનંદા સૈનિકો છે. છતાં પણ જો આપનો હુકમ છે, તો હું તુરત જ લંકા જઈશ. આપ કહો, તો રાવણ સહિત આખા રાક્ષસ વંશને આપની સામે ઉભો કરી દઉં અથવા કુટુંબ સહિત રાવણનો વધ કરી સીતાજીને લઈ આવું”
રામે હનુમાનજીને આપેલી પોતાની વીંટી
D.
ITI
એક વૃદ્ધ પુરુષે કહ્યું- “યુદ્ધમાં તો અનેક જીવોના મોત અને ધનદોલતની બરબાદી થશે, એ નક્કી છે. તેથી શક્ય હોય, તેટલી હદે યુદ્ધને ટાળવું જોઈએ. નીતિકારોનું કહેવું છે કે યુદ્ધ શરૂ કરતાં પહેલાં એક સંદેશો લઈને દૂતને મોકલવો જોઈએ. જો એક સંદેશવાહકથી જ મતલબ સરતો હોય, તો યુદ્ધ કરવાનો અર્થ શું છે?” આપણે પણ એક દૂત લંકા મોકલીએ. તે દૂત સૌથી પહેલાં બિભીષણ સાથે ચર્ચા વિચારણા કરે, કારણ કે તે રાક્ષસવંશીય હોવા છતાં એક પ્રામાણિક માણસ છે. તે સીતાજીને છોડી દેવા માટે રાવણને બરાબર સમજાવી શકે એમ છે. કદાચિત્ રાવણ તેની વાત ન માને, તો તે આપણા પક્ષમાં ભળી જાય તેવી શક્યતા છે.” તે વૃદ્ધ પુરુષની સૂચના મુજબ સુગ્રીવે રામની રજા લઈ હનુમાનજીને લઈ આવવા શ્રીભૂતિને મોકલ્યો.
સુગ્રીવનો સંદેશો મળતાં જ હનુમાનજી કિષ્કિધાપુરી પધાર્યા. સુગ્રીવે રામચંદ્રજીને કહ્યું- “પવનંજયનો પુત્ર હનુમાન ઘણો બળવાન અને વિનયવાન છે. આપત્તિના વખતે તેઓ હરહંમેશ મારા મિત્ર થઈને રહ્યા છે. શાસ્ત્રકારોએ સારા મિત્ર માટે કહ્યું છે કે :
Jain Education International
For Personal & Private US ON
www.
rary.org