SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - 26 શાંતિસ્નાત્રની વિવિધ સામગ્રી. અષાઢ સુદ આઠમના શુભ દિવસે દશરથ રાજાએ ધામ ધૂમ પૂર્વક અષ્ટાહ્નિકા ચૈત્ય મહોત્સવનું આયોજન કર્યું. આ શુભ પ્રસંગે ઉંચામાં ઉંચી જાતની પૂજાની સામગ્રી સાથે શાંતિસ્નાત્ર મહાપૂજા કરાવી. શાંતિસ્નાત્રની વિધિ પૂર્ણ થયા બાદ શાંતિસ્નાત્રનું જળ રાજાએ રાણીવાસની દેખરેખ રાખનાર મુખ્ય સેવક મારફત પોતાની આદરપાત્ર મુખ્ય પટરાણી કૌશલ્યાને સૌથી પહેલું મોકલાવ્યું. બીજી રાણીઓના મહેલે સ્નાત્રજળ અન્ય દાસીઓ મારફત મોકલાવ્યું. સામાન્ય રીતે મુખ્ય રાણીવાસનો સેવક વૃદ્ધ પુરુષ હોય છે. રાજા દશરથના રાણીવાસનો સેવક પણ ઘડપણને કારણે ધીમે ધીમે જઈ રહ્યો હતો, તેથી તે પટરાણીના મહેલે જલ્દી પહોંચી શક્યો નહિ. જ્યારે અન્ય દાસીઓ તો યુવાન હતી, તેથી તેઓએ દોડાદોડ કરી બીજી રાણીઓના મહેલેસ્નાત્રજળ જલ્દી પહોંચાડી દીધું. - A CO/ >>ILIPSO કૌશલ્યાએ કરેલો આત્મહત્યાનો પ્રયાસ બધી રાણીઓને સ્નાત્રજળ મળ્યું અને પોતાને ન મળ્યું. તેથી દુ:ખી થતી કૌશલ્યા વિચાર કરવા લાગી- “હું તો રાજાની સૌથી મોટી રાણી છું, છતાં શાંતિ સ્નાત્રનું જળ બીજી રાણીઓને મોકલાવ્યું અને મને નહિ ! બધી રાણીઓ યાદ આવી અને હું જ ભૂલાઈ ગઈ ! હાય રે ! હું કેટલી અભાગણી છું. સ્વમાન ભંગ થવા છતાં જીવતા રહેવું, એ મરવા કરતાં પણ વધારે દુઃખદાયક છે. હવે મારે માટે આત્મહત્યા કરવી, એ જ વ્યાજબી છે.'' ક્રોધને વશ થયેલી હોવાથી કૌશલ્યાએ પોતાની વિવેકશક્તિ ખોઈ નાંખી હતી. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy