SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધું સાંભળતાં નવયુવાન લવ અને કુશ વિચારવા લાગ્યા- ‘જો રામ આવા મહાપુરુષ હતા, તો તેમણે લોકોના કહેવાથી સીતાના વિષયમાં કાંઈ વિચાર્યું કેમ નહિ હોય ? આવો ઘોર અન્યાયપૂર્ણ વ્યવહાર કેમ કર્યો ?’’ લવે નારદજીને જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું- “હે મહામુનિ ! આપે જે રામ અને લક્ષ્મણ વિષે અમને જણાવ્યું, તેમની અયોધ્યાનગરી અહીંથી કેટલી દૂર હશે ?’’ નારદજીએ જવાબ આપતાં જણાવ્યું- “એ અયોધ્યા નગરી અહીંથી ચોસઠ યોજન =૨ ૫૬ ગાઉ દૂર છે.’’ ત્યારબાદ નારદજીએ અન્યત્ર પ્રયાણ કર્યુ. લવ અને કુશે જ્યારથી રામ લક્ષ્મણ તથા સીતાના પૂર્વજીવનની કથની સાંભળી, ત્યારથી તેમને રામચંદ્રજી અને અયોધ્યા જોવાની તાલાવેલી લાગી. તેમણે વજજંઘ રાજાને પૂછ્યું “આપની અનુમતિ હોય, તો અમને એક વખત રામચંદ્રજીના દર્શન કરવા જવાની ઇચ્છા છે.’’ વજજંઘ રાજાએ એમની ઇચ્છા જાણીને પોતાની સંમતિ જાહેર કરી. થોડા દિવસોમાં પૃથુરાજાએ પોતાની રાજપુત્રી કનકમાલિકાના લગ્ન ઘણા ધામધૂમ અને ઉત્સાહપૂર્વક કુશ સાથે કરાવ્યા. Jai Education International F સીતાજીને નમસ્કાર કરીને લવ-કુશનું રવાના થવું. લવ અને કુશ અનેક રાજ્યો ઉપર વિજય મેળવી પૃથુ, વજજંઘ, રુખ, લંપાકના એકકર્ણરાજા, કાલ ઘણા રાજાઓ સાથે પુંડરીકપુર આવી પહોંચ્યા. ત્યાં પહોંચતાંની સાથે જ બંને ભાઈઓએ સીતાજી પાસે જઈ પગમાં માથુ નમાવીને આશીર્વાદ માંગ્યા. સીતાજીએ પુત્રોને આશીર્વાદ આપતાં કહ્યું - ‘‘દશરથનંદન સમા પણ યશસ્વી અને પરાક્રમી બનજો.’' માતાજીના આશીર્વાદ લઈને લવ અને કુશ વજાંઘ રાજાને કહેવા લ “હે મામાશ્રી ! આપે અમને અયોધ્યા જઈ રામચંદ્રજીના દર્શન કરવાની અનુમતિ ક્યારની આપી દીધી છે. ત લંપાકનરેશ તેમજ રુષનરેશઆદિને અમારી સાથે આવવાની આજ્ઞા આપો. રણશીંગું ફૂંકાવીને સૈનિકોને આજ્ઞા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy