________________
લક્ષ્મણજીએ આ બધું સાંભળીને રોષથી કહ્યું- “આ મહાસતી સીતાજી આપને પોતાની જાત કરતાં પણ અધિક ચાહે છે. સારથિ સાથે આપે કહેવરાવેલાં વચનો સાંભળીને તેમને કેટલો વજઘાત થયો હશે? આપનો વિયોગ ફરીથી તેઓ સહી શકશે ખરાં ? લંકાપુરીમાં જ્યારે રાવણ તેમને અપહરણ કરીને લઈ ગયો, ત્યારે તો તેમને મનમાં વિશ્વાસ હતો કે એક દિવસ તો આપ ત્યાં તેમને લેવા જરૂર આવશો અને દુષ્ટ રાવણને હરાવીને માનપૂર્વક અયોધ્યા લઈ જશો. પણ હવે તો આપે જ તેમનો ત્યાગ કર્યો છે. તેથી તે કઈ આશા રાખીને જીવતા હશે ? કદાચ તેમણે પોતાના પ્રાણ પણ છોડી દીધા હશે.”
સેનાપતિ કૃતાન્તવદન અને બીજા વિદ્યાધરોને લઈને સિંહનિનાદ વ તરફ રવાના થયા. ત્યાં તેઓ ડુંગરે ડુંગરા, વૃક્ષો, ઝરણાં અત્ર તત્ર સર્વ ખૂંદી વળ્યા, તો પણ સીતાજીનો પત્તો ક્યાંય લાગ્યો નહિ. તેથી તેમાં માની લીધું કે કદાચ વન્ય પ્રાણીએ તેમને ભક્ષ્ય બનાવી લીધા હશે એમ નિરાશ થઈ અંતે સીતા વગર તેઓ બધા અયોધ્યા પાછા ફર્યા.
હવે લોકો રામને દોષ દેવા લાગ્યા - “આ તે કેવા પત્થર જેવા કાળજાના છે, જેથી નિષ્ફર થઈને પોતાની નિર્દોષ પત્નીનો ત્યાગ કર્યો ? સીતા તો સતી નારી હતી. તેણે રામની વિરુદ્ધ કાંઈ વાત ન કરત રામને મિથ્યાત્વી લોકોના કહેવાથી જિનધર્મનો ત્યાગ ન કરવાને હિતશિક્ષા રૂપી સંદેશો મોકલાવ્યો. ન્યાયપ્રેમી રાજા રામે આવો ઘો અન્યાય કેમ કર્યો ?'' લોકો ઢોલકીની જેમ બે મોઢાથી વાત કરતા હોર છે. ઢોલકી ક્યારેક જમણી બાજુથી વાગે છે, તો વળી ક્યારેક ડાબ બાજુથી. લોકો પહેલાં સીતાની નિંદા કરતા હતા. તેઓ હવે રામ ઉપ દોષારોપણ કરવા લાગ્યા.
રામચંદ્રજી બોલ્યા- “મને હજી વિશ્વાસ છે કે તે પોતાના પુણ્યના બળે હજુ પણ જીવતા જ હશે.” આવું સાંભળીને લક્ષ્મણજીએ પણ સમર્થન આપતાં કહ્યું - “તો પછી આપ પોતે સેનાપતિ કૃતાન્તવદનને લઈને સિંહનિનાદ વનમાં જલ્દીથી જાઓ અને સીતાજીની શોધ કરી તેમને પાછા લઈ આવો.” આવા વચનો સાંભળીને શ્રીરામચંદ્રજી
S
લવ-કુશનો જન્મ અને
પિતા સાથે મેળાપ સમયને વ્યતીત થતાં વાર લાગતી નથી. વજજંઘના મહેલમાં નવ માસ પૂરા થતાં સીતાજીએ બાળ સિંહસમાં બે પુત્રોને જન્મ આપ્યો રાજાએ પોતાની બહેન સમાન સીતાના પુત્રનો જન્મોત્સવ એટલ ધામધૂમપૂર્વક મનાવ્યો કે લોકો કહેતાં જ રહી ગયા કે રાજાએ પોતાન પુત્રનો જન્મોત્સવ પણ આવો દબદબાથી ઉજવ્યો નહોતો. પુત્રોન નામકરણ વિધિ કરી એકનું નામ અનંગલવ અને બીજાનું નામ મદનાંકુ રાખવામાં આવ્યું. જે પાછળથી લવ અને કુશ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. સમય વહેતાં જોતજોતામાં બન્ને પુત્રો સુસંસ્કારો અને વિદ મેળવી મોટા થવા લાગ્યા.
એક દિવસ મેરુપર્વતની યાત્રા કરીને ગગનગામી વિદ્યાર્થ સિદ્ધપુત્ર સિદ્ધાર્થ નામના શ્રાવકનું સીતાના આવાસમાં આવવાનું થયું સીતાજીએ સાધર્મિક આવેલા જાણી તેમનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું આ સિદ્ધાર્થ શ્રાવક અષ્ટાંગ નિમિત્તના જાણકાર હતા. તેથી પોતાન પુત્રોનું ભવિષ્ય જાણવાસીતાજીએ ઇચ્છાશવી. સિદ્ધાર્થના છવાઈ સીતાજી એ પોતાનો પૂર્વ વૃત્તાન્ત વિસ્તારથી કહી સંભળાવ્યો. તેને ઉત્તરમાં સિદ્ધાર્થે કહ્યું કે- “તમારા બંને પુત્રો બત્રીસ લક્ષણા છે આ સાક્ષાત્ રામ લક્ષ્મણ જ છે. તેઓ બધા મનોરથો પૂર્ણ કરશે. આપ કો બાબતની ચિંતા કરશો નહિ.”
PILIPSON
in
1110 For Personal & Frvate Use Only
www.ainelibrary.org