________________
ખરો શત્રુ : કર્મ પૂછયું, “આવી પ્રચંડ સાધનામાં પ્રેરક કોણ ?” પણ અગ્નિશર્મા “રાજકુમાર ગુણસને આવી ભયંકર મશ્કરી કરી હતી.” એ કહેવા તૈયાર નથી. કહેવા જ નહીં, હવે માનવા તૈયાર નથી. તેથી એમ કહે છે ‘રાજન્ ! ઉપકારી પ્રેરકો અનેક પ્રકારની પ્રેરણાઓ કરે છે. એમાંથી એક પ્રકારની પ્રેરણા મને પણ મળી.” રાજાએ જ્યારે ઘણો જ આગ્રહ કર્યો ત્યારે પ્રેરક તરીકે રાજકુમાર ગુણસેનનું નામ આપ્યું. રાજાને પોતાનું બાળપણ યાદ આવી ગયું. અગ્નિશર્માને પિછાણી લીધો. ગુણસેન બોલ્યો કે, “મહાત્મન્ ! આવી ઘોર યાતનાઓ આપનાર હું ગુણસેન નહીં, પણ મહાઅગુણસેન છું' ત્યારે પણ અગ્નિશર્માના મુખમાંથી કેવાં ઉમદા વચનો સરી પડે છે ! “ના ભાઈ ના, તું અગુણસેન શાનો ! તું તો ખરેખર મહાગુણસેન કે જેણે મને આવો તપનો ઉન્નત વૈભવ કમાવી આપ્યો.”
અગ્નિશર્માની એવી મનોભૂમિકા રચાવા માંડી હતી કે જેથી એ તપને સમૃદ્ધિ માનનારો બન્યો હતો. માટે એમાં નિમિત્ત બનનારા ગુણસેનને અપકારી નહીં, ઉપકારી માનતો હતો. કેવી ભવ્ય વિચારધારાઓને અગ્નિશર્મા પામ્યો હતો. એની આ બાહ્ય અને અત્યંતર સાધના અત્યંત ઉન્નતકક્ષાની લાગવાથી ગુણસેન રાજા પણ ખૂબ પ્રભાવિત અને આવર્જિત થયો. માસક્ષમણનું પારણું પોતાને ત્યાં કરવાનું આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. અગ્નિશર્માએ એ સ્વીકાર્યું અને નિયત દિવસે પહોંચી ગયો.
પણ ભવિતવ્યતા કાંક જુદી હતી. રાજાને ઊપડેલી અસહ્ય શિરોવેદનામાં વ્યથિત થયેલ રાજકુલ અગ્નિશર્માને ભૂલી ગયું. ‘પ્રથમ જે ઘરે જાય. ત્યાં જે મળે તેનાથી જ પારણું કરવું. કદાચ કાંઈ જ ન મળે તો વગર પારણે બીજું માસખમણ લગાવી દેવું, પણ અન્યના ઘરે જવું નહીં.' આવો કડક તેનો અભિગ્રહ હતો. એટલે એ તો પાછો ફર્યો. પારણું થાય ને શરીરમાં જે શક્તિસંચાર થાય તે નજરે ચડતો નહોતો, પગમાં જે સ્કૂર્તિ આવે તે દેખાતી નહોતી. એટલે આશ્રમના કુલપતિ સહિત અન્ય. તાપસો સમજી ગયા કે પારણું થયું નથી. બધાને ઘણું દુઃખ થયું. કેટલાક તાપસોને તો ગુસ્સો પણ આવ્યો હશે કે લ્યો ! મોટે ઉપાડે ખૂબ આગ્રહ કરીને આમંત્રણ આપી ગયો હતો ને આટલો ખ્યાલ પણ ન રાખ્યો ?' પણ અગ્નિશર્માની વિચારશ્રેણી ઉમદા હતી. એના મનમાં પારણું ન થયાનો લેશમાત્ર રંજ નહોતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org