SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે કમાય ell...85 કલાવતીના ડર છેદાણા... કલાવતીરાણીએ પૂર્વભવમાં પોપટની બે પાંખો કાપીને રાજી થઈ હતી, તેની આલોચના ન લીધી. ત્યાર પછી ક્રમે કરીને પોપટનો જીવ રાજા બન્યો, તેની રાણી કલાવતી બની. એક દિવસ અચાનક રાણીના હાથમાં બેરખાં (હાથનું આભૂષણ) પહેરેલા જોઈને સખીએ પૂછ્યું કે, “આ ક્યાંથી આવ્યા ?” રાણીએ જવાબ આપ્યો, “જે હંમેશા મારા મનમાં રહે છે અને જેના મનમાં હું રહું છું, રાત-દિવસ જેને હું વિસરતી નથી, જેને જોવાથી મને હર્ષનો કોઈ પાર રહેતો નથી, તેણે મોકલ્યા છે.” આવું વચન ગુપ્ત રીતે સાંભળી રાજા સંશયમાં પડી ગયો કે “શું રાણી દુરાચારિણી છે. તેથી મારા સિવાય બીજે એણીનું મન છે, જેણે આ દાગીના મોકલ્યા છે.” રાજા ક્રોધથી ધમધમી ઊઠ્યો અને સુભટોને કહ્યું કે, “ગર્ભવતી રાણીને જંગલમાં લઈ જાઓ અને બેરખાં સહિત કાંડા કાપીને લઈ આવો.” સુભટો રાણીને જંગલમાં લઈ ગયા. કાંડા કાપીને લઈ આવ્યા. રાણીએ પુત્રને જન્મ આપ્યો કે મહાસતીના શીલના પ્રભાવે દેવે હાથ સાજા કરી દીધા. દેવે મહેલ બનાવી જંગલમાં મંગળ કરી દીધું. રાજાએ બેરખા ઉપર જ્યારે રાણીના ભાઈ જય-વિજયના નામ જોયાં, ત્યારે રાજા ખૂબ સંતાપ કરવા લાગ્યો, પછી શોધ-ખોળ કરી રાણીને સન્માનપૂર્વક લઈ આવ્યો. ભગવાન મહાવીરને પૂછવાથી પૂર્વભવમાં સૂડાની પાંખો કાપવાનું ફળ મળ્યું છે, તે જાણી પુત્રને રાજ્ય અર્પણ કરી રાજા રાણીએ ચારિત્ર લીધું, ક્રમે કરી કર્મ ખપાવી રાણી કલાવતી મોક્ષમાં ગઈ. પૂર્વભવમાં આલોચના ન લીધી, તેથી કાંડા કપાવવા પડ્યાં. માટે આલોચના લેવામાં જરાય સંકોચ ન રાખવો જોઈએ. J eucation International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy