SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 81, છે જે કામાંધ ની. ઈગ્ગી આલોચ)) 9 લીધી. ) ૫૦૦ સાધુખોની ગોયરી આદિથી ! હૈયાdધ્ય કરનાર બાહ મુનિ મરદેવીને ગોચરી બતાવે છે. ૨) ૫૦૦ સાધુઓની વિશ્રામણા કરનાર - સુબાહુ મુનિ મુનિઓના પગ દાબે છે. ઈર્ષ્યા એક એવી આગ છે. જે સામેની વ્યક્તિને કાંઈ ન કરી શકે. પણ વ્યક્તિ પોતે જ બળી બળીને રાખ થઈ જતી હોય છે. નાના, મોટા વગેરે ૫૦૦ સાધુઓની ખડેપગે ગોચરીઆદિથી વૈયાવચ્ચ કરનાર બાહુ અને ૫૦૦ સાધુની વિશ્રામણા કરનાર સુબાહુની ગુરુએ પ્રશંસા કરી. એમાં પીઠ અને મહાપીઠને કાંઈક અજુગતું લાગ્યું. “રે... આપણે આખો દિવસ શાસ્ત્રની વાતોને સિદ્ધ કરવા પ્રશ્નોના જવાબો આપવા માથાનું દહીં કરીયે, તો ય આપણી કાંઈ કિંમત ન આંકી, અને પાણી લઈ આવવું. ગોચરી લઈ આવવું. પગ દબાવવા જેવા મજૂરીના કામો કરનારની ગુરુ મહારાજે પ્રશંસા કરી દીધી.” એમણે આ ન વિચાર્યું કે અરે ભાઈ ! અવસર-અવસરે બધાની કિંમત થાય છે. પણ આ વાત સમજે કોણ ! એમનું મન તો ઈર્ષાની આગમાં શેકાતુ હતું. આ ઈષ્યની આલોચના ન લીધી...! જોઈ લ્યો મજા. ચારે મુનિઓ કાળ કરી દેવલોકમાં ગયા. પણ દેવના ભવ પછી ઈર્ષ્યા કરનારા બન્નેને સ્ત્રીનો અવતાર મળ્યો. એટલે કે પીઠ અને મહાપીઠ બન્યા બ્રાહ્મી અને સુંદરી... બાહુ અને સુબાહુ બન્યા ભરત અને બાહુબલી. આવું જાણ્યા પછી આલોચનાશુદ્ધિ બધાએ કરવી જોઈએ. ૩ an Education international For Personal & Private Use Only www.laipelibrary.org
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy