________________
કપીલ મરીચિનો શિષ્ય બની નમસ્કાર કરે છે.
મરીચિ ત્રિદંડીક કુલમદ થી નાર્ય છે.
ઋષભદેવ ભગવાન પાસે ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિએ દીક્ષા
લીધી. ત્યાર બાદી દુઃખ સહન કરવામાં નિર્બળ બનવાથી ત્રિદંડિક વેશ ધારણ કર્યો. આ
પ્રમાણે ચારિત્રનો ત્યાગ કરી તે દેશવિરતિ પાલન કરવા લાગ્યા. થોડા પાણીથી નહાવું,
વિલેપન કરવું, પાવડીઓ પહેરવી, છત્ર રાખવું વગેરે કરવા લાગ્યા. એક વખત ભરત મહારાજાએ સમવસરણમાં ભગવાન ઋષભદેવને પૂછયું કે,
અહીં કોઈ એવો જીવ છે, જે ભવિષ્યમાં તીર્થકર બનશે.’’ ત્યારે ભગવાને કહ્યું કે, “તમારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ મહાવિદેહમાં ચક્રવર્તી અને ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર થશે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org